જીવો જીવસ્ય ભોજનમ

સમગ્ર સૃષ્ટીમાં નિયમ ચાલે છે કે જે બળવાન હોય તે નબળા ઉપર હકુમત ચલાવે. ઉંદર, નાના નાના જીવજંતુ વગેરે પક્ષીઓ કે બીલ્લીના શીકાર બને. વળી આ પક્ષીઓ પાછા મોટા પક્ષીઓના શીકાર બને. તેવી રીતે સર્વ પશુમાં બળવાન સિંહ છે અને તેનો સીધો શીકાર કરવાની ભાગ્યે જ કોઈ હિંમત કરે છે. જળચરોમાં મગર સહુથી બળવાન ગણાય છે. પક્ષીઓમાં ગરૂડ ને બળવાન ગણવામાં આવે છે અને મનુષ્યોમાં જે બળવાન હોય તે રાજા બને છે. આમ બળ તે વિભુતી છે અને બળવાન હોય તે જ જીવનનો આનંદ માણે છે. વિર્યને પણ બળ માનવામાં આવે છે, અને જે જરૂર વગર વિર્યનો ખર્ચ કર્યા કરે છે તે જીવનમાં સતત તાણ અનુભવ્યા કરે છે. જરૂરી અને મર્યાદિત જાતિય આનંદ ઉપયોગી છે પણ અમર્યાદ વિર્યનો વ્યય કરનાર બળ ગુમાવે છે. કોઈ એક બ્લોગ કે ગૃપમાં ભીષ્મ પિતામહને કોઈએ નપૂંસક કહ્યા છે. મને બહુ આશ્ચર્ય થયું કે જે ભરી સભામાંથી ૩ – ૩ રાજકુંવરીઓ ઉઠાવી લાવે, જેના તીર એટલી ઝડપથી છૂટે કે ગંગાનો પ્રવાહ રોકાઈ જાય તે નપૂંસક? અરે તેમને શસ્ત્રો છોડાવવા માટે શિખંડીને આગળ ઉભો રાખવો પડ્યો અને કૃષ્ણએ પોતે પણ પોતાની પ્રતિજ્ઞા તોડવી પડી તે શું નપૂંસક? ખેર, મારુ કહેવાનું એટલું જ છે કે વિર્ય પણ એક પ્રકારનું બળ જ છે. માટે જ સ્વામી વિવેકાનંદે કહ્યું કે “તમારા સ્નાયુઓને બળવાન બનાવો અને મસ્તિષ્કને ઉન્નત વિચારોથી ભરી દ્યો. નબળા લોકો માટે આ દુનિયામાં કે બીજી કોઈ દુનિયામાં કશું સ્થાન નથી. બહુ કાળ સુધી આપણે રોદણાં રોતા આવ્યા છીએ હવે વધુ વખત રડવાની જરૂર નથી. ઉપનિષદમાંથી બોમ્બની જેમ આવતો અને અજ્ઞાનના સમુહ પર કડાકાભેર તુટી પડતો શબ્દ છે અભી:. અભય ,અભય આ અભયની ઉપાસના કરો અને સર્વસમર્થ એવું આત્મબળ જાગૃત કરો કે જેનો કશાથી પ્રતિકાર ન થઈ શકે.”

Categories: કુદરત | Tags: | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: