Daily Archives: 02/09/2009
યુગ કલ્યાણી – રમેશ પટેલ(આકાશદીપ)
આ રચના શ્રી રમેશભાઈ પટેલના નવા જ કાવ્ય સંગ્રહ “ત્રિપથગા” માં પ્રકાશિત થયેલ છે. આ રચના મોકલવા બદલ શ્રી રમેશભાઈનો ખુબ ખુબ આભાર. આપ તેમનો નીચેના ઈ-મેઈલ એડ્રેસ ઉપર સંપર્ક કરી શકો છો. rjpsmv@yahoo.com
આધ્યાત્મિક ક્ષેત્રે ક્રાન્તિના સર્જક,ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન કવનમાંથી વહેતી સત્સંગની પાવન ગંગા આ પૃથ્વી પટે, સંસ્કાર, સહિત્ય અને કલાને સંગીતના અમૃત માધ્યમથી ભીંજવી રહીછે. ગુરુ પરંપરાથી, આધુનિક સમાજના વિશ્વકર્મા સમ વિશ્વસંત,પ.પૂ.પ્રમુખ સ્વામીના ચરણ કમળમાં ,તેમના યુએસએ ના વિચરણ સમયે,સેવામાં સમર્પિત રચના. (રમેશ પટેલ)
જગ કલ્યાણે જગે અવતરીયા,જય મંગલ વર્તે છપૈયા
તીર્થ ભૂમિના જાગ્યા સ્પંદન,જ્યાં ચરણ ચૂમ્યા સવૈયા
ગુરુવર રામાનંદજીએ નામજ ધરીઆ,શ્રી સહજાનંદ સ્વામી નારાયણમુનિ
ગુર્જર પંથે ઘરઘર ગૂંજે,જયશ્રી સ્વામિનારાયણની સ્તુતિ
ભૂલી પથ ગુણીજન ઘૂમે,વરતે વિષમ કાળની છાયા
હરિસંતો હરખે અંતર અજવાળે,હેલે ચઢી ભક્તિની માયા
ભગવંત શ્રી સહજાનંદ રંગે ઉમંગે,પૂણ્યે જાગ્યા સૌભાગ્ય અનેરા
સરળ નમ્રતા સાધુતા શોભે,પથપથ પ્રગટે ગ્યાનના ડેરા
મંદિર ગુરુકુળ અક્ષરધામથી,વહે સંસ્કાર ઝરણાં આનંદે
ગુરુ પરંપરા રમે જનહીતે, પાવન દર્શને શીશ રે વંદે
વનવાસીને કર્યા સદાચારી,વિશ્વસંતની ક્રુપા અનેરી માણી
હરિમાળામાં દીઠું પ્રભુ શરણું,તપધારી સંતો દિસે યુગ કલ્યાણી
કર જોડી ‘આકાશદીપ’ વંદે,ગ્યાન ભક્તિથી અવની છે શણગારી
પ્રમુખ સ્વામીને ચરણે શરણે, ઝીલશું કરુણા વાણી હિતકારી