Daily Archives: 22/12/2008

પ્રત્યક્ષ અનુભવની વિદ્યા (41)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય નવમો – માનવસેવાની રાજવિદ્યા : સમર્પણયોગ
પ્રકરણ ૪૧ – પ્રત્યક્ષ અનુભવની વિદ્યા

૧. આજે મારૂં ગળું દુખે છે, મારો અવાજ સંભળાશે કે નહીં એ બાબતમાં થોડી શંકા રહે છે. આ પ્રસંગે સાધુચરિત મોટા માધવરાવ પેશવાના અંતકાળની વાત યાદ આવે છે. એ મહાપુરૂષ મરણપથારીએ પડયા હતા. ખૂબ કફ થયો હતો. કફનું પર્યાવસન અતિસારમાં કરી શકાય છે. માધવરાવે વૈદ્યને કહ્યું, ‘ મારો કફ મટી મને અતિસાર થાય એવું કરો એટલે રામનામ લેવાને મોઢું છૂટું થાય.’ હું પણ આજે પરમેશ્વરની પ્રાર્થના કરતો હતો. ઈશ્વરે કહ્યું, ‘ જેવું ગળું ચાલે તેવું બોલજે. ’ હું અહીં ગીતા વિષે બોલું છું તેમાં કોઈને ઉપદેશ કરવાનો હેતુ નથી. લાભ લેનારને તેમાંથી લાભ થયા વગર રહેવાનો નથી. પણ હું ગીતા વિષે બોલું છું તે રામનામ લેવાને બોલું છું. ગીતા વિષે કહેતી વખતે મારી હરિનામ લેવાની ભાવના હોય છે.

2. આ હું જે કહું છું તેનો આજના નવમા અધ્યાય સાથે સંબંધ છે. હરિનામનો અપૂર્વ મહિમા આ નવમા અધ્યાયમાં કહેલો છે. આ અધ્યાય ગીતાની મધ્યમાં ઊભો છે. આખા મહાભારતની મધ્યમાં ગીતા અને ગીતાની મધ્યમાં નવમો અધ્યાય છે. અનેક કારણોને લઈને આ અધ્યાયને પાવનત્વ પ્રાપ્ત થયેલું છે. કહેવાય છે કે જ્ઞાનદેવે છેવટે સમાધિ લીધી તે વખતે આ અધ્યાય જપતાં જપતાં તેમણે પ્રાણ છોડ્યા હતા. આ અધ્યાયના સ્મરણમાત્રથી મારી આંખો છલકાઈ જાય છે ને હ્રદય ભરાઈ આવે છે. વ્યાસનો આ કેવડો મોટો ઉપકાર ! એકલા ભરતખંડ પર નહીં, આખી માનવજાત પર આ ઉપકાર છે. જે વસ્તુ ભગવાને અર્જુનને કહી તે અપૂર્વ વસ્તુ શબ્દથી કહેવાય એવી નહોતી. પણ દયાથી પ્રેરાઈને વ્યાસજીએ સંસ્કૃત ભાષામાં પ્રગટ કરી.ગુહ્ય વસ્તુને વાણીનું રૂપ આપ્યું.

3. આ અધ્યાયના આરંભમાં જ ભગવાન કહે છે,

‘ राज-विद्या महा-गुह्य उत्तमोत्तम पावन ’

આ જે રાજવિદ્યા છે, આ જે અપૂર્વ વસ્તુ છે તે અનુભવવાની વાત છે. ભગવાન તેને પ્રત્યક્ષાવગમ કહે છે. શબ્દમાં ન સમાય એવી પણ પ્રત્યક્ષ અનુભવની કસોટી આ વાત આ અધ્યાયમાં કહેલી હોવાથી તેમાં ઘણી મીઠાશ આવેલી છે. તુલસીદાસે કહ્યું છે,

को जाने को जैहै जम-पुर को सुर-पुर पर-धाम को
तुलसिहि बहुत भलो लागत जग जीवन रामगुलाम को ।

મરણ પછી મળનારૂં સ્વર્ગ, તેની બધી કથા અહીં શા કામની ? સ્વર્ગમાં કોણ જાય છે, યમપુર કોણ જાય છે તે કોણ કહી શકે ? અહીં ચાર દહાડા કાઢવાના છે તો તેટલો વખત રામના ગુલામ થઈને રહેવામાં જ મને આનંદ છે એમ તુલસીદાસજી કહે છે. રામના ગુલામ થઈને રહેવાની મીઠાશ આ અધ્યાયમાં છે. પ્રત્યક્ષ આ જ દેહમાં, આ જ આંખો વડે અનુભવાય એવું ફળ, જીવતાંજીવ અનુભવમાં આવે એવી વાતો આ અધ્યાયમાં કહેલી છે. ગોળ ખાતાં તેનું ગળપણ પ્રત્યક્ષ સમજાય છે તે જ પ્રમાણે રામના ગુલામ થઈને રહેવામાં જે મીઠાશ છે તે અહીં છે. આવી મૃત્યુલોકના જીવનમાંની મીઠાશનો પ્રત્યક્ષ અનુભવ કરાવનારી રાજવિદ્યા આ અધ્યાયમાં છે. એ રાજવિદ્યા ગૂઢ છે, પણ ભગવાન સૌ કોઈને સુલભ અને ખુલ્લી કરી આપે છે.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

સીતાજી કહે શ્રીરામને (81)

રાગઃ- રામગ્રી

અનેવાલા સીતાજી કહે શ્રીરામને, વિનંતી સુણો સ્વામી હમારી
અંતર્યામી વેલા આવજો, દાસી છું હું તમારી –ટેક

અને વાલા રઘુનાથ રામ રાઘવા, મેલ્યાં કેમ વિસારી
અસૂર વતનમાં અમે એકલાં, ઘોર રાત અંધારી –1

અને વાલા રાવણ રાજા આવી રીડ કરે, રીસ કરે બહુ ભારી
માસ દિવસ પછી મારશે, તજશું દેહ હમારી –2

અને વાલા શૂળીની માથે મારી સેજડી, નેણે નીંદ નહીં હમારી
રાઘવ વિના નવ રીઝવે, રામ રામ જપે જીભ હમારી –3

અને વાલા અવધિ વિત્યા પછી જો આવશો, રહેશે નહીં દેહ પ્રાણ ધારી
ભજનપ્રકાશના સ્વામી આવજો, અંતમાં લેજો ઉગારી –4

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

તમારું કુટુંબ સુખી છે ? – ફાધર વર્ગીસ પોલ

મારાં કેટલાંક ઓળખીતાં ભાઈબહેનોની સુખસમૃદ્ધિથી હું સુપેરે પરિચિત છું. કેટલાંકના આચારવિચારમાં જીવન જીવવાના સાચા આનંદનો અનુભવ મને દેખાય છે. એટલે મારા મનમાં કેટલાક પ્રશ્નો જાગે છે. શું એ સુખસમૃદ્ધિ તેમનું ખરું જીવન પ્રતિબિંબિત કરે છે કે પોકળ દેખાવ માત્ર છે ? તેઓ અને તેમનું કુટુંબ ખરેખર સુખી છે ? તેઓ અને તેમનાં આપ્તજનો જીવન જીવવાનો ખરો આનંદ માણે છે ? તેઓ ખરેખર પોતાના કુટુંબને કેવી રીતે સુખી બનાવી શકે છે?

મને લાગે છે કે, સૌ કુટુંબીજનો અને વિશેષ તો કુટુંબના વડીલો આ પ્રશ્નોનો વિચાર કરીને, અને યોગ્ય પગલાં ભરીને પોતાના કુટુંબને ખરેખર સુખી અને સમૃદ્ધ બનાવી શકે છે. રશિયાના જગપ્રસિદ્ધ સાહિત્યકાર ટૉલ્સટૉય કહે છે, સુખ સૌભાગ્ય માણતાં બધાં કુટુંબોમાં સર્વસામાન્ય લક્ષણો હોય છે. જ્યારે દરેક દુ:ખી કુટુંબ પોતપોતાની રીતે જ દુ:ખ વેઠીને જીવે છે. એટલે સુખની જેમ દુ:ખનાં કોઈ સર્વસામાન્ય લક્ષણો નથી. અહીં સુખસમૃદ્ધિ માણતાં કુટુંબોનાં સામાન્ય કહી શકાય એવાં દસેક લક્ષણોની ચર્ચા કરું છું.

(1) એક, પ્રાર્થના – સુખી કુટુંબજીવનનો અનિવાર્ય ભાગ છે દૈનિક પ્રાર્થના. કુટુંબના સૌ સભ્યો ભગવાનને પોતાના કુટુંબના નાયક કે કુળદેવતા તરીકે સ્વીકારે છે. આદરભક્તિ કરે છે. કુટુંબનો દરેક સભ્ય સવારે ઊઠે ત્યારે બધા સાથે કે એકલા પોતાનો દિવસ અને પોતાના સૌ આચારવિચાર ભગવાનને ચરણે સમર્પે છે અને પોતાને માટે, કુટુંબના સભ્યો માટે તથા સમાજ ને રાષ્ટ્ર માટે ભગવાનની કૃપા ને આશિષ યાચે છે. સુખી કુટુંબના રોજના ભોજન જેટલો અગત્યનો ભાગ છે દૈનિક પ્રાર્થના. સામાન્ય રીતે રોજની પ્રાર્થના માટે ઘરની ચોક્કસ ઓરડી કે અલાયદી જગ્યા હોય છે. ત્યાં રોજના ક્રમ મુજબ નિયત સમયે ભક્તિગીતથી પ્રાર્થના શરૂ કરી શકાય. ગીતા, બાઈબલ જેવા પવિત્ર ગ્રંથોના પાઠ, ધ્યાનમનન વગેરે રોજની પ્રાર્થનાના ભાગો બની શકે છે.

બાળકોને માબાપ પ્રાર્થના શિખવાડે છે અને એમની ઉંમર પ્રમાણે રોજની પ્રાર્થનાના અમુક ભાગમાં કે સમગ્ર પ્રાર્થનામાં ભાગ લેવડાવે છે. કેટલાંક માબાપ પોતાનાં સંતાનો પાસે જ પવિત્ર ગ્રંથોમાંથી પાઠ વાંચવામાં આગેવાની લેવડાવે છે. પાંચ-સાત મિનિટની મૌન પ્રાર્થના પણ રોજની પ્રાર્થનાનો ભાગ થઈ શકે છે. આ મૌન પ્રાર્થના દરમિયાન દરેક સભ્ય પોતાના પર કે કુટુંબ પર પ્રભુએ વરસાવેલા અનુગ્રહાશિષ માટે ભગવાનનો આભાર માની શકે છે. ભગવાનની સ્તુતિ કરી શકે છે. ભૂલો માટે ભગવાન પાસે ને એકબીજા પાસે ક્ષમા-માફી પણ માગી શકે છે.

(2) બે, કૌટુંબિક સમૂહ ભોજન. કુટુંબમાં માબાપ અને બાળકોએ સાથે જમવું એ એક સુખી કુટુંબનું લક્ષણ છે. કુટુંબના સભ્યો બધા સાથે જમીને કૌટુંબિક એકતા પ્રગટ કરે છે. એટલે સુખી કુટુંબના સભ્યો સાથે ભોજન લેવાની રીતનો આગ્રહ રાખે છે. સવાર, બપોર ને સાંજ દરેક વખતે સાથે જમવાનું બધા સભ્યો માટે શક્ય ન હોય તો ઓછામાં ઓછું રોજ એકાદ ભોજન બધાં સાથે બેસીને આરામ ને ઉલ્લાસથી લઈ શકે તો સારું છે. દિવસના કામધંધાથી પરવાર્યા પછી સાંજે ઘેર આવીને બધા સભ્યો સાથે ભોજન લઈ શકે છે. આ પ્રકારનાં કૌટુંબિક ભોજન દરમિયાન આનંદ-ઉલ્લાસનું વાતાવરણ હોય એ અંગે બધા સભ્યોએ સભાન રહેવાની જરૂર છે. વાતચીત આનંદ અને કદરની હોય એ ઈચ્છનીય છે. કોઈ સભ્ય પર આરોપ મૂકવાનું કે નિંદનીય વાત કરવાનું બધા ટાળે છે. ભોજનની કે અન્ય બાબતોની ટીકાટિપ્પણીથી બધા સભ્યો દૂર રહે છે.

કૌટુંબિક ભોજન દ્વારા સૌ સભ્યોની એકતા પોષાય અને બધા એક મન અને એક દિલના થાય એ માટે કીમતી ખોરાકની જરૂર નથી, પણ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન ચોક્કસ મદદરૂપ થાય છે. સમય, સગવડ ને સંજોગ પ્રમાણે અવારનવાર નવી અને વૈવિધ્યપૂર્ણ વાનગીઓ પણ તૈયાર કરવામાં આવે છે. જમતી વખતે સારી વાનગીઓ બધાને સરખી રીતે પ્રમાણસર મળે એ માટે બધા સભ્યો કાળજી રાખે છે.

(3) ત્રણ, સંવાદ. સુખી કુટુંબમાં હંમેશાં એકતા અને આનંદ હોય છે. એ એકતા અને આનંદને પોષનાર બાબત છે સંવાદ. રોજબરોજના કૌટુંબિક જીવનમાં સૌ સભ્યો સાથે મળીને વાતચીત કરવા માટે સમય ફાળવવામાં આવે છે. સાંજના કૌટુંબિક ભોજન પછી બધા સાથે મળીને ભોજનસ્થળ અને વાસણની સાફસૂફી કરે. ત્યાર પછી બધા એકાદ કલાક સાથે બેસીને આરામથી કુટુંબના બધા સભ્યો સાથે વાતચીત કરી શકે છે.

આ પ્રકારના રોજના કૌટુંબિક સંવાદ દ્વારા રોજના સુખદુ:ખની વાત કરે છે અને એકબીજાને પ્રેરણા અને માર્ગદર્શન આપે છે. કુટુંબના આત્મીય વાતાવરણમાં એકબીજાના આચારવિચારનો વિનિમય કરે છે. દિવસના સુખદુ:ખના અનુભવોની બધા સાથે ચર્ચા કરે છે. કૌટુંબિક સંવાદમાં બધા સાથે કૌટુંબિક યોજનાઓ, કૌટુંબિક કાર્યક્રમો તેમજ સમાજ અને ધર્મની વાતો અંગે બધા ખુલ્લા મનથી ચર્ચાવિચારણા કરે છે.

સંવાદમાં એકબીજાની ભૂલો ને ગેરસમજ તરફ પ્રેમથી બધાનું ધ્યાન ખેંચાય છે. આદર અને કદરના વાતાવરણમાં ભૂલો સુધારવામાં આવે છે. બાળકોને સાચી-ખોટી બાબતોનો ખ્યાલ આપી એમના સ્વભાવ ઘડતરમાં માબાપ ધ્યાન આપે છે. આ પ્રકારનો સંવાદ કુટુંબના સૌ સભ્યોને કૌટુંબિક કજિયાકંકાસથી દૂર રાખે છે અને આનંદઉલ્લાસના વાતાવરણમાં વિકસવા માટે સૌ સભ્યોને મોકો મળે છે.

(4) ચાર, વિશ્વાસ. સુખી કુટુંબનું ચોથું લક્ષણ છે કુટુંબના સભ્યોનો અરસપરસનો ભરોસો કે વિશ્વાસ. પતિએ પત્ની પર અને પત્નીએ પતિ પર તેમજ માબાપે સંતાનો પર અને સંતાનોએ માબાપ પર પૂરો વિશ્વાસ રાખવાથી એક કુટુંબમાં સૌ સભ્યોને સુરક્ષાનો અનુભવ થાય છે. કુટુંબમાં દરેક સભ્ય બીજા બધા સભ્યોનો વિશ્વાસપાત્ર બને એ રીતે આચારવિચાર કરે છે અને વિશ્વાસભંગ થાય એવી પ્રવૃત્તિઓ, સોબતો અને એવા સંજોગોથી દૂર રહે છે. કોઈ કારણસર એ ભરોસામાં વિધ્ન આવ્યું હોય તો એવાં વિધ્નોને દૂર કરવા અને ભરોસાપાત્ર રીતે વર્તવા એ સભ્ય પ્રયત્ન કરે છે.

ઘણી વાર કુટુંબના સભ્યોનાં કાર્યક્ષેત્ર ભિન્નભિન્ન હોય છે અને જાતજાતના લોકો સાથે કામ કરવાનું હોય છે. એટલે કોઈક વાર કુટુંબના સભ્યો એકબીજા પર શંકાકુશંકાઓ સેવે અને એકબીજા પર મૂકેલા ભરોસાની કસોટી થાય. અગ્નિપરીક્ષા થાય. આવા વખતે શંકાકુશંકાઓ રાખી સામેની વ્યક્તિને ‘રંગેહાથ’ પકડવાની તક શોધવાને બદલે કુટુંબના કોઈ સભ્ય અંગે શંકા થાય ત્યારે કૌટુંબિક સંવાદથી કે ખાનગી રીતે શંકા અંગે વિચારોની આપલે કરી શંકાને દૂર કરે છે અને એ રીતે અરસપરસના ભરોસાને વધુ દઢ અને મજબૂત બનાવે છે.

(5) પાંચ, આદરમાન અને વ્યક્તિસ્વાતંત્ર્ય. સુખી કુટુંબમાં નાનામોટા સૌ સભ્યો એકબીજા સાથે આદરથી વર્તે છે. દરેક વ્યક્તિ સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે એનો સ્વીકાર કરે છે. એટલે સીધી કે આડકતરી રીતે એક સભ્ય બીજા સભ્ય પર વર્ચસ્વ કે આધિપત્ય જમાવવા પ્રયત્ન કરતો નથી. એકબીજા પર આધિપત્ય જમાવવાના પતિ કે પત્નીના પ્રયત્નથી ઘણાં આશાસ્પદ કુટુંબો તૂટતાં મેં જોયાં છે. કુટુંબના સૌ એકબીજાનો આદર કરે છે. એનો અર્થ એ નથી કે તેઓ એકબીજાની ભૂલોને પણ સ્વીકારે છે. કુટુંબના સભ્યો પ્રેમ ને માનથી એકબીજાથી ભૂલો તરફ આંગળી ચીંધે છે અને શક્ય હોય ત્યાં ભૂલો સુધારવા મદદ પણ કરે છે. પતિ-પત્નીનો પરસ્પરનો આદર જોઈને બાળકો પણ પોતાનાં માબાપ પ્રત્યે, એકબીજા પ્રત્યે આદરમાનથી વર્તવા પ્રેરણા અને પ્રોત્સાહન મેળવે છે.

(6) છ, અંગત અને સામૂહિક જવાબદારી. સુખી કુટુંબમાં સૌ સભ્યો પોતપોતાની અંગત અને સામૂહિક જવાબદારીનો સ્વીકાર કરીને તે અદા કરે છે. કુટુંબમાં અમુક સભ્યોના માથે બધી જ જવાબદારીઓ હોય અને બીજા સભ્યો આરામથી ખાઈ-પીને મજા કરે એવું હોય તો એ કુટુંબ સુખી નથી. તેવા કુટુંબમાં ફરિયાદ અને કજિયાકંકાસ જ શાસન કરતાં હોય છે. પણ સુખી કુટુંબમાં સૌ સભ્યો પોતાની આવડત, શક્તિ અને સમય પ્રમાણે કૌટુંબિક કામકાજમાં પૂરો સાથસહકાર આપે છે. કુટુંબનો દરેક સભ્ય પોતપોતાની અંગત જવાબદારી પૂરી નિષ્ઠાથી અદા કરીને કુટુંબનો આધાર બને છે. અને સામૂહિક જવાબદારીમાં પોતાની શક્તિ અને સમયનો પૂરો ફાળો આપે છે.

સુખી કુટુંબમાં કૌટુંબિક આવક અને ક્ષમતા પ્રમાણે દરેક સભ્યને કોઈ જ ભેદભાવ વિના બધી કૌટુંબિક સવલતો મળે છે. એવાં કુટુંબમાં અમુક સભ્યો વધારે કમાય કે ઓછું કમાય તેથી કોઈ ફેર પડતો નથી. બધાની આવક તો કૌટુંબિક આવક છે અને એ કૌટુંબિક આવકમાંથી બધાને પોતપોતાની જરૂરિયાત પ્રમાણે મળે છે. એવા કુટુંબમાં ન કમાતી અને બેકાર હોય એવી વ્યક્તિ માટે પણ કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી.

(7) સાત, ધનદોલતનો યોગ્ય ઉપયોગ. સુખી કુટુંબના સભ્યો પોતાની ધનદોલતનો યોગ્ય ઉપયોગ કરે છે. તેઓ ધનદોલતના વિનિમયમાં વધુ પડતી કંજૂસાઈ કે દુરુપયોગ કરતા નથી. કુટુંબ માટે તેમજ દરેક સભ્ય માટે જરૂર હોય એટલો ખર્ચ કરવામાં કુટુંબના સભ્યો આનાકાની કરતા નથી. તેમજ ગરીબોને મદદ કરવામાં તથા ધાર્મિક અને અન્ય સત્કાર્યો માટે ફાળો આપવામાં પોતાની શક્તિ પ્રમાણે ઉદારતાથી બધા મદદ કરે છે.

(8) આઠ, આગતાસ્વાગતા. સુખી કુટુંબમાં મહેમાનોને હંમેશાં આવકાર મળે છે. કુટુંબના સૌ સભ્યોનો પરસ્પરનો આદર અન્ય સગાંસંબંધીઓ અને બીજા મહેમાનો પ્રત્યેના આદરમાનમાં પણ પરિણમે છે. એટલે કુટુંબમાં કોઈ સગાંસંબંધી કે મહેમાન આવે ત્યારે તેમનો આદરસત્કાર સૌ સભ્યો અંતરના ઉમળકાથી કરે છે અને કુટુંબના આનંદમાં મહેમાનોને પણ ખરા દિલથી ભાગીદાર બનાવે છે. મહેમાનોની આગળ મીઠી વાતો અને એમના ગયા પછી એમની ટીકા એ સુખી કુટુંબનું લક્ષણ નથી. સુખી કુટુંબમાં માબાપ ને અન્ય વડીલોને આંગણે આવેલ મહેમાનોને ઉમળકાથી આવકારતા જોઈ બાળકો પણ પરોણાચાકરી શીખે છે. સુખી કુટુંબ પોતાની પાસે સગવડ ન હોય તોપણ પોતાનાં સગાંસંબંધીઓ અને મહેમાનોનું પૂરા ઉમળકાથી સ્વાગત કરે છે. કુટુંબમાં હોય એવી બધી સગવડો મહેમાનને ધરી પોતે અગવડ વેઠીને પણ મહેમાનગીરી બજાવે છે. એ જ રીતે સુખી કુટુંબના લોકો પોતાની મોટાઈનો વિચાર કર્યા વિના પોતાનાં સગાંસંબંધીઓ અને પડોશીઓની મુલાકાત લઈ બધા સાથે પ્રેમસંબંધ રાખે છે.

(9) નવ, પ્રશ્નનો સ્વીકાર. માણસના જીવનમાં પ્રશ્નો હોય છે જ. અને એમાં કૌટુંબિક જીવનમાં પ્રશ્નોનો તોટો નથી. કૌટુંબિક પ્રશ્નોને નકારવાને બદલે કે પ્રશ્નો સામે પલાયનવૃત્તિ અપનાવવાને બદલે સુખી કુટુંબના સભ્યો પોતાના કૌટુંબિક પ્રશ્નોનો સ્વીકાર કરે છે અને સામૂહિક રીતે પ્રશ્નોનો ઉકેલ શોધે છે. જે પ્રશ્નોનો ઉકેલ ના જ હોય એવા પ્રશ્નોની ઉપેક્ષા કરવાને બદલે કુટુંબના સૌ સભ્યો સાથે મળીને એકબીજાને ટેકો કરીને પ્રશ્નો સાથે ખુશીથી જીવે છે. સૌ સભ્યો ખુશીથી બીજા માટે ત્યાગ વેઠવા કે પોતાની સુખસગવડનો ભોગ આપવા તૈયાર હોય છે. એવા સુખી કુટુંબમાં કોઈ બેકાર હોય કે લાંબી માંદગીનો ભોગ બન્યો હોય તોપણ એવી વ્યક્તિ ઉપેક્ષા પામતી નથી. કુટુંબની બધી સગવડો ને સવલતો જેને જરૂર હોય તેવી વ્યક્તિની સેવામાં હોય છે. એમાંથી સૌ સભ્યો સુખ માણે છે.

(10) દસ, સારાનરસાનું શિક્ષણ. સુખી કુટુંબ એના બધા સભ્યો માટે અને વિશેષ તો તે કુટુંબનાં બાળકો માટે એક આદર્શ વિદ્યાકેન્દ્ર છે. જ્યાં સારાનરસા ને ખરાખોટાનું શિક્ષણ મળે છે. સુખી કુટુંબનાં માબાપ મુખ્ય બાબતોમાં એકદિલ અને એકમન હોય છે. કુટુંબ, સમાજ અને ધર્મને સ્પર્શતી અગત્યની બાબતોમાં ચોક્કસ માર્ગદર્શન આપે છે. જીવન જીવવાનાં સાચાં મૂલ્યો અને વલણો આપીને તેમજ પરંપરાગત કૌટુંબિક અને ધાર્મિક સંસ્કારોથી નવાજીને માબાપ પોતાનાં બાળકોને ખરાખોટા અને સારાનરસાનો પાઠ શિખવાડે છે. બાળકો ભૂલ કરે ત્યારે તેમને પ્રેમથી સુધારવાથી ખોટી બાબતોને સાચી માનવાની ભૂલ તેઓ કરશે નહીં. બાળકોમાં બાળપણથી જ સિંચેલા માનવીય મૂલ્યો અને ધાર્મિક સંસ્કારો એક દીવાદાંડીની જેમ જીવનભર તેમને દોરશે.

અહીં મેં સુખી કુટુંબની દસેક લાક્ષણિકતાઓની ટૂંકી ચર્ચા કરી છે. દરેક કુટુંબની જીવનશૈલીમાં પોતપોતાની આગવી રીત હોય છે, છતાં અહીં ચર્ચેલી મૂળભૂત બાબતો પોતપોતાની રીતે બધાં સુખી કુટુંબોના પાયામાં જોવા મળશે જ. એટલે ટૉલ્સટૉયે કહ્યું છે કે, ‘સુખસમૃદ્ધિ માણતાં બધાં કુટુંબોમાં કેટલાંક સર્વસામાન્ય લક્ષણો હોય છે.’ તમારું કુટુંબ સુખી છે ? કૌટુંબિક સુખસમૃદ્ધિમાં આ સામાન્ય લક્ષણો તમારા કુટુંબમાં જોવા મળે છે ?

Categories: ચિંતન | Tags: | 2 Comments

कबीर साहित्य: संक्षिप्त चिंतन – रामगोपाल ’राही’

कबीर साहित्य में जहाँ दर्शन, अध्यात्म, ज्ञान, वैराग्य की गूढता मिलती है, वहीं उनके साहित्य में समाज सुधार का शंखनाद भी है। वह दार्शनिक होने के साथ-साथ, समाज सुधारक भी थे। समाज सुधार अर्थात् जन जीवन का उत्थान कबीर के जीवन की साधना थी। सुधार का समन्वित स्वरूप कि उन्होंने भक्ति के आडम्बरों पर चोट की, वहीं अंधविश्वासों, रूढ, प्रथा, परम्पराओं, अंधविश्वासों पर भी निर्भीकता से लिखा। भक्ति में सुधार, समाज की कुप्रथाओं में सुधार, जीवन के हर क्षेत्र में सुधार, कबीर के जीवन की साधना रही है। कबीर कवि होने के साथ ही साधक थे, दर्शनिक थे, तत्त्वान्वेषी थे, भक्त और ज्ञानी थे। वस्तुतः कबीर का जीवन उच्चतम मानवीय व्यक्तित्व की अभिव्यक्ति है।

प्रचलित धारणाओं के अनुसार, मस्तमोला संत कबीर रामानन्द जी के शिष्य थे। कबीर की जन्म तिथि में विभिन्न मतमतांतर हैं, पर विक्रमी सम्वत् के अनुसार पन्द्रवीं शताब्दी का उत्तरार्द्ध, सोलहवीं का प्रारम्भ व १४५५-५६ के आसपास ही इनका जन्मकाल रहा। जन्मस्थान कोई काशी, कोई मगहर तथा कोई बलहरा गाँव आजमगढ के पास मानता है।

कबीर जब हुए देश में उथल-पुथल का समय था। मुसलमानों का आगमन, उनका आक्रमण, राज्य स्थापन और यहीं बस जाना, देश के इतिहास की बडी महत्त्वपूर्ण घटना थी। मुसलमानों का आक्रमण राजनीतिक वर्चस्व कायम करना ही नहीं बल्कि इस्लाम का प्रचार अधिक था। अलग सांस्कृतिक एवं सामाजिक इकाई के रूप में कट्टर विरोधी होकर रहना, हिन्दू समाज को अपने में आत्मसात् करने की भावना से सारा हिन्दू समाज आतंकित एवं भयभीत था। मूर्तियाँ व मंदिर खण्डित होते रहे। इस विषमतापूर्ण समय में हिन्दुओं के समक्ष, अपनी सांस्कृतिक आत्मरक्षा का प्रश्न था। ऐसे में पुनरुत्थान कार्य, साम्प्रदायिक एवं जातीय भावनाओं को सामने रखकर किया जाना सम्भव नहीं था। हिन्दुओं में भी विभिन्न मतमतांतर, पंथ, सम्प्रदाय बन चुके थे, जो हिन्दू समाज में अन्तर्विरोध दर्शाते थे। मानना होगा, ऐसी विपरीत स्थितियों के समय में जब हिन्दू संस्कृति, धर्म, जाति को झकझोर दिया गया था – कबीर की समन्वय साधना ने, समाज में पुनरुत्थान का कार्य किया। पुनरुत्थान भक्ति साधना से ही सम्भव था। कबीर का साहित्य इस बात का साक्षी है।

कबीर के पहले तथा समसामयिक युग में भक्ति साधनाओं में सबसे प्रमुख भक्ति साधना ही है। भक्ति आन्दोलन ने भगवान की दृष्टि में सभी के समान होने के सिद्धान्त को फिर दोहराया। कबीर की भक्ति भावना तथ्य से जुडी है। भक्तिपथ में भक्ति के द्वारा प्राण स्पंदन देने वालों में कबीर भी प्रमुख हैं। अनेकानेक साधनाओं के अन्तर्विरोध के युग में कबीर जन्मे थे। कबीर के व्यक्तित्व को सभी अन्तर्विरोधों ने प्रभावित किया, इस पर कबीर ने समन्वयवादी दृष्टिकोण अपनाया। कबीर में परिस्थितिजन्य निर्णय की अभूतपूर्व क्षमता थी। वह आत्मचिंतन से प्राप्त निष्कर्षों को कसौटी पर कसने में कुशल थे। कबीर ने मानवतावादी तत्त्वग्राही व्यक्तित्व से अपने दृष्टिकोण में मजहबी, वर्गगत अहंकार तथा आचार संहिता की जडकारा में उलझा देने वाले तत्त्वों को भुला त्याग दिया। कबीर नैतिकता से विकसित भगवत्प्रेम में मानव कल्याण समझते हैं। कबीर की दृष्टि में यही मानवता का मूल आधार है। कबीर जीवन का चरम लक्ष्य परम तत्त्व की प्राप्ति मानते हैं। इस तत्त्व को प्राप्त करने का प्रमुख साधन ज्ञान और प्रेम है। कबीर के अनुसार ज्ञान से मतलब शास्त्र ज्ञान के अहंकार से मुक्त व्यक्ति को सहज रूप से ज्ञान होता है। ऐसे ही प्रेम का सहज रूप ही कबीर को मान्य है। कबीन ने आध्यात्मिक, धार्मिक, दार्शनिक एवं साधना के स्तर पर समन्वय का संदेश दिया है। कबीर संत हैं-भक्त हैं। कबीर ने अपने साहित्य में, भक्ति, प्रेम व सदाचरण से भगवान को प्राप्त करने का संदेश दिया। वस्तुतः कबीर की व्यथा किसी वर्ग विशेष की व्यथा नहीं थी, वह व्यापक मानवता की व्यथा थी। वर्तमान संदर्भों में उन्होंने आज की तरह प्रतिष्ठा दिलाने के लिए साधना नहीं की। क्योंकि कबीर के अनुसार साधना से ही मूलतः मानव व प्राणी मात्र का आध्यात्मिक कल्याण है।

कबीर के अनुसार पिंड और ब्रह्माण्ड से भी परे, निर्विशेष तत्त्व है, वही सबसे परे परम तत्त्व है, जिसका अनुभव होने पर भी वाणी में अवर्णनीय है। वह अलख है, उसे कहा नहीं जा सकता। पिंड और ब्रह्माण्ड से परे का जो तत्त्व है वही हरि है। उसका कोई रूप नहीं, वह घट -घट में समाया है। कबीर ने इस तत्त्व को कई नामों से व्यक्त किया है। अलख, निरंजन, निरर्भ, निजपद, अभैपद, सहज, उनमन तथा और भी। ”गुन में निरगुन, निरगुन में गुन हैं बाट छाड क्यो जहिए। अजर अमर कथै सब कोई अलख न कथणां जाई।।“ इसी चिंतन में कबीर कहते हैं – ”जल में कुम्भ, कुम्भ में जल है – बाहर भीतर पानी। फूटा कुंभ जल जलहि समाना, यह तत कथौ गियानी।।“ तथा – ’’पानी ही से हिम भया हिम है गया बिलाई।।‘‘

प्रेम साध्य भी है – साधन भी। प्रेम स्वयं ही प्रेम का वरण करता है। अर्थात् केवल प्रेम के अनुग्रह से प्रेम प्राप्त होता है। प्रेम लौकिक, अलौकिक दोनों स्तर पर एक-सा रहता है। प्रेम वस्तुतः आत्मरति रूप है, अहेतुक होता है। आत्मबोध की सहज स्थिति आत्मरति है। कबीर ने आध्यात्मिक प्रेम को लौकिक माध्यम से व्यक्त किया – ’’कबीर यह घर प्रेम का खाला का घर नाहिं। सीस उतारे हाथि करि, सो पैसे घर मांहि।।‘‘ कबीर का सौन्दर्य ब्रह्म सविशेष ब्रह्म है, इससे उनके अन्तःकरण में भगवान का प्रेम जागा तो कबीर ने कहा, ’’संतो भाई आई ज्ञान की आंधी रे। भ्रम की टाटी सबै उडानी, माया रहे न बाँधी रे।।“ कबीर के अनुसार लौकिक और आध्यात्मिक का भेद प्रेम की दिव्यता में बाधक नहीं है।

रहस्यवाद की तीन अवस्थाएँ होती हैं, अनुराग उदय, परिचय, मिलन। कबीर साहित्य में भावनात्मक तथा साधनात्मक दोनों तरह का रहस्यवाद मिलता है। कबीर में भावनात्मक रहस्यवाद की प्रथम अवस्था से ही साधनात्मक रहस्यवाद के भी दर्शन होते हैं। ”पारब्रह्म के तेज का, कैसा है उनमान। कहिये कूँ साोभा नहीं – देख्या ही परमान।।“ वह और भी आगे लिखते हैं – ’’सुरति समांणी निरति में, निरति रही निरधार। सुरति निरति परचा भया तब खुले स्वयं दुवार।।“ और भी ’’जो काटो तौ डहडही, सींचौ तौ कुमिलाइ।।‘‘

कबीर साहित्य में साखी कबीर का जीवनदर्शन है। साखी कबीर साहित्य का बहुत ही महत्त्वपूर्ण अंश है। साखियों में कबीर का व्यक्तित्व समग्र रूप से व्यक्त हुआ है। ’’साखी आँखी ज्ञान की समुझि लेहु मनमाहिं। बिनु साखी संसार का झगडा छूटै नाहिं।।‘‘ कबीर साहित्य में गुरु का स्थान सर्वोपरि ईश्वर समकक्ष है। कबीर के अनुसार गुरु शिष्य को मनुष्य से देवता कर देता है। ’’गुरु गोविन्द दोउ खडे-काके लागूं पाय। बलिहारी गुरु आपने गोविन्द दियो मिलाय।“ सद्गुरु के बारे में कबीर लिखते हैं ’’ग्यान प्रकास्या गुरु मिल्या, सो जन बीसरि जाइ। जब गोविन्द कृपा करी, तब गुरू मिलिया आई।।“ इसके विपरीत अज्ञानी गुरु के बारे में कबीर कहते हैं – ”जाका गुरु भी अंधला, चेला खरा निरंध। अंधे अंधा ठेलिया, दून्यूं कूप पडंत।।“ आज के संदर्भों में दार्शनिक कबीर की व्यक्त हुई कुछ-कुछ सटीक-सी लगती भावना ’’नां गुरु मिल्या न सिष भया, लालच खेल्या डाव। दुन्यूं बूडे धार में – चढ पाथर की नाव।‘‘

जैसे ही सुमिरण को अंग, यानी मनन की अवस्था, विनती को अंग अर्थात् भगवान के समक्ष अपनी लघुता की अनुभूति तथा पति परमेश्वर के भाव की अभिव्यक्ति है। कबीर ने इस तरह ’अंग‘ के माध्यम में पचासों अंगों के तहत ज्ञान की अभिव्यक्ति हुई है। कबीर पर वैदिक विचारधारा, वैष्णव विचारधारा का प्रभाव था, उन्होंने अपने साहित्य में एकात्मक अद्वैतवाद, ज्ञान तत्त्व, गुरु भक्ति, भगवद्भक्ति, अध्यात्म योग, प्रणवोपासना, जन्मान्तरवाद, भगवान के विविध वैष्णवी नाम, ब्रह्म स्वरूपों में श्रद्धा, भक्ति उपासना तथा प्रपत्ति, योग के भेद, माया तत्त्व आदि के माध्यम से काव्य रचना को संजोया। निर्भीक सुधारवादी संत कबीर ने, भक्ति ही क्या हर क्षेत्र में अंधविश्वासों पर चोट कर, रूढ परम्पराओं आडम्बरों से अलग हट, सामाजिक सुधार भरपूर किया। हिन्दू- मुसलमान दोनों के ही साम्प्रदायिक, रूढग्रस्त विचारों की उन्होंने आलोचना की। अपनी सहज अभिव्यक्ति में कबीर ने लिखा – ’’कंकर पत्थर जोड के मस्जिद दी बनाय। ता पर मुल्ला बांग दे, बहरा हुआ खुदाय।।“ इतना ही नहीं इससे भी बढकर लिखा ’’दिन में रोजा रखत हो, रात हनत हो गाय। यह तो खून औ बंदगी, कैसे खुशी खुदाय।।“ ऐसे ही हिन्दुओं के अंधविश्वासों पर उन्होंने चोट की। धर्म के क्षेत्र में आडम्बरों का कबीर ने खुला विरोध किया। ’’पाहन पूजे हरि मिले – तो मैं पूजूं पहार। ताते तो चाकी भली, पीस खाय संसार।।“ कबीर का दृष्टिकोण सुधारवादी था उन्होंने बताया ’’मूंड मुंडाए हरि मिले, सबही लेऊँ मुंडाए। बार-बार के मूंड ते भेड न बैकुंठ जाए।।“ कबीर ने हिन्दुओं के जप-तप, तिलक, छापा, व्रत, भगवा वस्त्र, आदि की व्यर्थता बताते हुए लिखा-’’क्या जप क्या तप संयमी, क्या व्रत क्या अस्नान। जब लगि मुक्ति न जानिए, भाव भक्ति भगवान।।“ मरणोपरांत गंगा में अस्थि विसर्जन पर कबीर ने लिखा – ’’जारि वारि कहि आवे देहा, मूआ पीछे प्रीति सनेहा। जीवित पित्रहि मारे डंडा, मूआ पित्र ले घालै गंगा।।“ समाज में कई अस्वस्थ लोकाचारों पर कबीर ने प्रहार किए। वे कहते हैं – यदि मन में छल कपट की गर्द भरी है तो योग भी व्यर्थ है। ’’हिरदे कपट हरिसँ नहिं सांचो, कहा भयो जो अनहद नाच्यौ।।‘‘

कबीर ने ब्रह्म को करुणामय माना है। ब्रह्म माया, और जीव के सम्बन्ध में कबीर के दार्शनिक विचारों का वर्णन है। कबीर निर्गुणोपासक थे। उन्होंने राम के गुणातीत, अगम्य, अगोचर, निरंजन ब्रह्म का वर्णन किया है। मानना होगा भक्ति आन्दोलन के सुधारवादी भक्त कवियों में कबीर का अपना अलग ही स्थान व नाम है। भगवा वस्त्र पहन कर जंगलों की खाक छानने के पक्ष में कबीर नहीं थे। उन्होंने धर्म एवं भक्ति में दिखावे को त्याग, तीर्थांटन, मूर्तिपूजा आदि को धर्म परिधि से बाहर रखा। कबीर कहते हैं, ’’काम-क्रोध, तृष्णा तजै, ताहि मिले भगवान।।“ राम अर्थात् उनके ब्रह्म में अपने खुद के समर्पण की चरमसीमा देखने योग्य है। ’’लाली मेरे लाल की, जित देखूं तित लाल। लाली देखन मैं गई, मैं भी हो गई लाल।।‘‘ कबीर के बारे में किसी ने यह सही लिखा प्रतीत होता है, ’’ज्ञान में कबीर परम हंस, कल्पना में योगी, और अनुभूति में प्रिय के प्रेम की भिखारिणी पतिव्रता नारी हो।‘‘ कबीर में अतिवाद कहीं भी नहीं। ब्रह्म परमसत्ता को कबीर ने सहजता से सर्वव्यापी बताते हुए कहा – ’’ना मैं गिरजा ना मैं मंदिर, ना काबे कैलास में। मौको कहाँ ढूंढे बंदे, मैं तो तेरे पास में।।‘‘

कबीर का दृष्टिकोण सुधारवादी ही रहा। कबीर ने किसी धर्म विशेष एवं दर्शन की पताका ऊँची नहीं की। वस्तुतः उन्होंने तो अपने को मानवीय तत्त्वों से सम्बद्ध रखा। धर्म व सुधार के नाम पर कबीर ने जनता को उलझाया नहीं, उन्होंने तो खण्डन कर उलझनों से दूर रखा। जनमानस को अभेद की ओर प्रेरित कर भ्रम-माया से दूर रहने की प्रेरणा दी, इसीलिए कबीर मानवतावादी सुधारक माने जाते हैं। कबीर ने ईश्वर प्रेम, भक्ति व साधना में माया को बाधक माना। कबीर ने कहा माया आकर्षक व मनमोहक है। माया आचरण के कारण ही आत्मा अपने परमात्म रूप को नहीं पहचान पाती। माया ब्रह्म से मिलने नहीं देती। ’’कबीर माया पापणी, हरि सूं करे हराम। मुख कडया को कुमति, कहने न देई राम।।

Categories: ચિંતન | Tags: | 1 Comment

Conversations and Dialogues with Swami Vivekananda (X)

Continue reading

Categories: Conversations and Dialogues, Swami Vivekananda | Tags: , | Leave a comment

Blog at WordPress.com.