કવિ કવિતાની નીચે પોતાનું નામ લખે છે, ચિત્રકાર કલાકૃતિ નીચે પોતાનું નામ લખે છે, પણ ઈશ્વર? ઈશ્વર જેવો કોઈ મહાન કલાકાર નથી. એ માનવને સર્જે છે, પણ માનવીની નીચે પોતાનું નામ નથી લખતો. અને લખે છે ત્યારે એ માતાનું નામ લખે છે. પણ માતાય ઈશ્વરની મહાનતાનું પ્રતિક છે. એ બાળકને એના પિતાનું નામ આપી દે છે.
– બરકત વિરાણી