ગતાંકથી આગળ
વિષયના યોગથી આનંદ કેમ ભાસે છે?
તત્વદૃષ્ટિરુવાચ |
વિષયસંગ ક્યૂં ભાન વ્હૈ, જો મૈં આનન્દરુપ |
અબ ઉત્તર યાકો કહૌ, શ્રીગુરુ મુનિવરભૂપ || ૩૩ ||
શિષ્યઃ હું (આત્મા) જો આનંદરૂપ હોઉં, તો મને વિષયના સંગથી આનંદ કેમ ભાસે છે? હે ગુરો! હે મુનિવરોમાં શ્રેષ્ઠ! એનો ઉત્તર મને કહો (૩૩)
અંતર્મુખ વૃત્તિમાં આનંદ, વિષયમાં નથી.
શ્રીગુરુરુવાચ |
ચૌપાઈ
આતમવિમુખ બુદ્ધિજન જોઈ, ઈચ્છા તાહિ વિષયકી હોઈ |
તાસૂ ચંચલ બુદ્ધિ બખાની, સુખ આભાસ હોઈ તહં હાનિ || ૩૪ ||
જબ અભિલષિત પદારથ પાવૈ, તબ મતિ છનક વિછેપ નશાવૈ |
તામેં વ્હૈ આનંદપ્રતિબિંબા, પુનિ છનમૈં બહુ ચાહ વિડંબા || ૩૫ ||
તાતે વ્હૈ થિરતાકી હાનિ, સો આનંદપ્રતિબિંબ નશાની |
વિષસંગ આનંદજુ હોઈ, બિન સતગુરુ યહ લખૈ ન કોઈ || ૩૬ ||
જે માણસની બુદ્ધિ આત્માથી વિમુખ હોય છે, તેને વિષયની ઈચ્છા થાય છે; તેથી તેની બુદ્ધિ ચંચળ થાય છે અને એ ચંચળ બુદ્ધિમાં સુખરૂપ આભાસ નાશ પામે છે. (૩૪) જ્યારે તે માણસ પોતાના ઈચ્છેલા પદાર્થ પામે છે, ત્યારે ક્ષણવાર તેની બુદ્ધિમાંથી વિક્ષેપ નાશ પામવાથી બુદ્ધિ સ્થિર થાય છે અને તેમાં આનંદનું પ્રતિબિંબ પડે છે, એટલે તેને વિષયથી સુખ મળ્યું હોય, એમ ભ્રાંતિ થાય છે; તેથી તે વિષયોની ફરી ઈચ્છા કરે છે. (૩૫) એમ થવાથી તેની બુદ્ધિની સ્થિરતા વળી નાશ પામે છે અને તે વખતે તે આનંદનું પ્રતિબિંબ પણ નાશ પામે છે. એવી રીતે વિષયના સંગથી આનંદ કેવી રીતે પ્રાપ્ત થાય છે, તે સદગુરુ વિના કોઈ જાણતું નથી.
દોહા
વિષયસંગતે વ્હૈ પ્રગટ, આતમ આનંદરુપ |
શિષ્ય સુનાયો તોહિ મૈં, યહ સિદ્ધાંત અનૂપ || ૩૭ ||
સોરઠા
સો તૂં નોહિ વ ભાખ, જો યામૈ શંકા રહી |
નિજ મતિ મૈં મતિ રાખ, મૈં તાકો ઉત્તર કહું || ૩૮ ||
ગુરુ કહે છે કે, હે શિષ્ય! વિષયના સંગથી આત્માનું આનંદરૂપ શી રીતે પ્રકટ થાય છે, તેનો અનુપમ સિદ્ધાંત મેં તને સંભળાવ્યો. (૩૭) જો તને એમાં કાંઈ શંકા રહી હોય, તો હવે તારા મનમાં ને મનમાં ન રાખતાં મને કહિ દે, કે જેથી હું તેનો ઉત્તર તને કહું. (૩૮)
જ્ઞાનીને વિષયનાસંબધથી આનંદનું ભાન થાય કે નહિ?
તત્વદૃષ્ટિરુવાચ |
ચૌપાઈ
ભો ભગવન્ તુમ દીનદયાલા, મેટ્યો મમ સંશય તતકાલા |
યામૈં કછુક રહી આશંકા, સો ભાખું અબ વ્હૈ નિર્બકા || ૩૯ ||
આતમવિમુખ બુદ્ધિ અજ્ઞાની, તાકી યહ સબ રીતિ બખાની |
જ્ઞાની જનકો કહૈ વિચારા, કોઉ ન તુમ સમ ઔર ઉદારા || ૪૦ ||
શિષ્ય કહે છે કે હે ભગવન્ આપ તો દીનદયાળ છો; તેથી આપે મારો સંશય તત્કાળ દૂર કર્યો છે, પણ એમાં કંઈક શંકા મને રહી છે, તે હું આપને નમ્રપણે વિદિત કરું છું. (૩૯) જે લોકો આત્માને જાણતા નથી, એટલે જેમની બુદ્ધિ આત્મા તરફ નથી, પણ આત્માથી વિરુદ્ધ દિશાએ એટલે બહારના વિષયો તરફ છે, તેમને તો આત્મામાંથી મળતો આનંદ વિષયોમાંથી મળે છે, એવા ભ્રમથી તેઓ વિષયની ઈચ્છા કરે છે; પણ જેઓ જ્ઞાની છે, તેમને વિષયોની ઈચ્છા થતી હશે કે નહિ? અને તેમને પણ વિષયોમાંથી આનંદ મળતો હશે કે નહિ? હે ભગવન્ તમારા સમાન ઉદાર બીજા કોઈ નથી. (૪)
બે પ્રકારના આત્મવિમુખ વિષયાનંદ સ્વરુપાનંદથી જુદા નથી
શ્રી ગુરુરુવાચ |
દોહા
સુનહુ શિષ્ય ઈક બાત મમ, સાવધાન મન કાન |
હૈં વિધ આતમવિમુખ, અજ્ઞાની રુ સુજાન || ૪૧ ||
વ્હૈ વિસ્મૃત વ્યવહારમેં, કબહુક જ્ઞાની સંત |
અજ્ઞાની વિમુખ હિ રહૈ, યહ તૂ જ્ઞાન સિદ્ધંત || ૪૨ ||
હે શિષ્ય! મન અને કાનને સાવધ રાખીને મારી એક વાત સાંભળ. આત્મવિમુખ બે પ્રકારના છેઃ (૧) અજ્ઞાની અને (૨) જ્ઞાની. (૪૧) જ્ઞાની સંત પુરુષ પણ કોઈક વખત વ્યવહારમાં આત્મસ્વરૂપને ભૂલી જાય છે; પણ અજ્ઞાની તો સદૈવ આત્મસ્વરૂપથી વિમુખ જ હોય છે, એવો સિદ્ધાંત તારે જાણી લેવો.
વધુ આવતા અંકે