ગતાંકથી આગળ…
પરંતુ આપણે જ્યારે ભગવાનની મૂર્તિ સામે બેઠા હોઈએ ત્યારે તો ઠીક તેમાં ભગવાન છે તે ભગવાન છે તેવો અનુવ કરતા પણ હોઈએ છીએ પરંતુ ત્યાંથી ઉઠયા પછી ઘરના સભ્યોમાં ભગવાનના દર્શન થવા જોઈએ. સંભવ કે ઘરના સભ્યોને પોતાના માન્યતા છે તેથી રાગ પૂર્વક દર્શન કરી પણ શકીએ પરંતુ ધંધા નોકરી પર ઓફિસે કે દુકાને કોઈ પણ આપણા ધંધાર્થે જ્યાં પરસ્પર વ્યક્તિ સાથે વહેવાર કરવો પડે છે તે સંપૂર્ણ વહેવારમાં દરેક વ્યક્તિમાં દર્શન કરવા કઠણ છે. ત્યાં અન્વય ભાવ ટકતો નથી. વિંછી સાપ સિંહ કે વાઘ વરુમાં પણ દર્શન થવા કઠણ છે. કદાચ મંદિરે કે હવેલીમાં ભગવાનના દર્શન કરી શકીએ પરંતુ ઓફિસે આવેલ કોઈ કે દુકાને આવેલ કોઈ વ્યક્તિમાં દર્શન કરી શકાતા નથી. ત્યાં ભગવાન તુરત ભૂલાઈ જાય છે. ને આવું થતું હોય તો તેના કરતા સર્વ નામરૂપનો નિષેધ કરીને વ્યતિરેક ભાવથી રહેવું સુલભ પડે. મૂર્તિને આપણે ભગવાન માનતા હોઈએ તો પછી મૂર્તિ સામે આપણે ખોટું કામ કરી શકીએ નહીં. ભગવાનને ભોગ પણ ધરાવતા હોઈએ ત્યારે પણ થતું હોઈ છે મનમાં કે ભગવાન કયાં જમવાના છે. તે પ્રસાદી તો મારે જ ખાવાની છે તો ભગવાન પણ તે પ્રસાદ ગ્રહણ કરે નહીં. કયારેક ક્યારેક સઘળું માત્ર ઉપચાર પૂરતું થતું હોય છે. જ્યાં પુરો ભાવ જોઈએ શ્રદ્ધા જોઈએ તેવા ભાવથી કે શ્રદ્ધાથી ન થતું હોય તેથી જે આપણને લાભ મળવો જોઈએ તે મળતો હોતો નથી.
જેને સંપૂર્ણપણે નિર્ભયતા આવી ન હોય તે અન્વયભાવને સ્થિર નહીં કરી શકે. તે જગતના પદાર્થોમાં અનાસક્તિ પૂર્વક વ્યતિરેકભાવ રાખીને પણ સેવા કરી શકશે જે મહાત્માઓ કર્મને જ પ્રાધાન્ય આપે છે અને કહે છે કર્મથી જગત બંધન થયું છે તો તે સારા કર્મ કરાવીને ખોટા કર્મથી વ્યક્તિને છોડાવે છે અને ફલની આશાના ત્યાગપૂર્વક અકર્મણ્ય સ્થિતિ સુધી લઈ જાય છે. જેઓ અજ્ઞાનથી બંધન માને છે તેઓ જ્ઞાન આપીને છોડાવે છે. અને ત્રીજા પ્રકારના ભક્તિમાર્ગના આચાર્યો એમ માને છે કે ભગવાનની ઇચ્છાથી બંધન થયું છે તેથી ભગવાનની ભક્તિ કરીને ભગવાનને પ્રસન્ન કરવા જોઈએ. અને ભગવાન પછી ભક્તને પોતાની ઇચ્છાથી મુક્ત કરે છે. માટે ભગવાનના અનુગ્રહ માટે ભગવાન સાથે અનન્ય પ્રેમ બાંધવો જોઈએ. અને તેમાં પણ વિશેષતા તે છે કે શરીર મન અને પ્રાણ આ ત્રણમાં જેનું અધિક જોર હોય તે બાજુ લઈ જાય પોતાની તે પ્રકૃતિ મુજબ તે માર્ગ પકડી લે છે.
ઘણા ઘણા સંપ્રદાયના મહાત્માઓ સંસાર ક્ષણભંગુર છે નાશવંત મૃત્યુ અનિવાર્ય છે તેવી તેવી મૃત્યુ પરત્વેની ઘણી ઘણી વાતો કરીને વ્યક્તિમાં વૈરાગ્ય ઉત્પન્ન કરે છે પરંતુ પ્રેમનું રહસ્ય સમજાવતા હોતા નથી કે પ્રેમની દીક્ષા દેતા હોતા નથી. પ્રેમ પ્રભુનું સ્વરૂપ છે. પ્રેમમાં પ્રભુતા છે. પ્રેમને વ્યક્તિ તાબામાં કે કબજામાં કરતો નથી પણ પ્રેમ સર્વને પોતાના તાબામાં કરે છે વશ કરે છે તેથી પ્રેમમાં પ્રભુતા રહેલી છે. પ્રેમ માત્ર પ્રજા ઉત્પન્ન કરી શકે છે. એટલી જગત પ્રેમમાં શક્તિ છે. તેવી વ્યક્તિને પ્રેમના ખબર જ હોતા નથી અને આવા કામ માટે જે પ્રેમનો ઉપયોગ કરે છે તે સંભવ થોડો પ્રેમાંશ હોઈ શકે પ્રેમનો થોડો ભાગ પણ તેવા પ્રેમના થોડા ભાગથી પરમાત્માનો પ્રેમ સમજાય નહીં. તેથી કોઈ વિભુ પ્રેમને પામી ન શકાય. અને તેવા પ્રેમને માટે કોઈ પ્રેમના પૂર્ણ રહસ્યને પામનાર સદગુરુ પાસેથી પ્રેમની પણ દિક્ષા શિક્ષા લેવી પડે છે. જેમ જ્ઞાનની દિક્ષા શિક્ષા તેમ પ્રેમની શક્તિ તો અમોઘ છે.
વહેવારમાં થોડી માત્ર અલ્પ શક્તિને પ્રેમ ઉત્પન્ન કરવા માટે વાપરે છે. તેમાં પણ પુર્ણ સ્વાર્થની ગંધ સાથે તેથી શુદ્ધ પ્રેમની તો ત્યાં માત્રા મળતી નથી. વહેવારીક સઘળા કામોમાં કપટથી કે દંભથી કે સ્વાર્થથી જ પ્રેમનો ઉપયોગ થાય છે. આ સઘળું પ્રેમ શક્તિનું તોફાન છે. અને તોફાન જો શાંત થાય તો તો પ્રજા ઉત્પતિ પણ બંધ પડી જાય. જરૂર મીણબતી બળે છે ત્યારે પ્રકાશ આપે છે પણ તેથી આપણા પ્રાણ જે અઘટિત માગણી કર્યા કરે તો છુટ આપવાની જરૂર નથી. પ્રેમની દિશા વહેવારીક છે તો તેને પારમાર્થિક દિશા પકડાવી દેવાની જરૂર રહે છે કે જેમાં પરમાત્માનો પ્રેમ પામી શકાય અને તેના રહસ્ય કે શક્તિને પણ સમજી શકાય કે જેમાં નિસ્વાર્થતા છે માંગ વગરનો છે નિરિચ્છ છે અને તેમાં જ સઘળી શક્તિ કે સામર્થ્ય સમાયેલું છે કે જે જડને ચેતન કરે ચેતનને જડ કરે. અને આવો પરમાત્માનો પ્રેમ સદગુરુની કૃપાથી જ અને દિક્ષા શિક્ષાથી જ પામી શકાય છે અને જ્યારે આત્મજ્ઞાની શક્તિ પરમાત્મા તરફ વળે છે ત્યારે જે ભિતરમાંથી સારા સારા કાવ્યો તથા ભજનો અને સંગીતનો ઉદ્ભવ થાય છે સંસાર વહેવારમાં પણ અજાણ્યા સ્ત્રી પુરુષો અજાણ્યા કુટુંબના હોવા છતાં પણ પરસ્પરના મિત્ર તથા એક થઈ જાય છે.
વધુ આપણે કાલે જોઈશું…