Daily Archives: 08/11/2008

વખત વિત્યાની પહેલા શું? – (11)


ગતાંકથી આગળ…


પરંતુ આપણે જ્યારે ભગવાનની મૂર્તિ સામે બેઠા હોઈએ ત્યારે તો ઠીક તેમાં ભગવાન છે તે ભગવાન છે તેવો અનુવ કરતા પણ હોઈએ છીએ પરંતુ ત્યાંથી ઉઠયા પછી ઘરના સભ્યોમાં ભગવાનના દર્શન થવા જોઈએ. સંભવ કે ઘરના સભ્યોને પોતાના માન્યતા છે તેથી રાગ પૂર્વક દર્શન કરી પણ શકીએ પરંતુ ધંધા નોકરી પર ઓફિસે કે દુકાને કોઈ પણ આપણા ધંધાર્થે જ્યાં પરસ્પર વ્યક્તિ સાથે વહેવાર કરવો પડે છે તે સંપૂર્ણ વહેવારમાં દરેક વ્યક્તિમાં દર્શન કરવા કઠણ છે. ત્યાં અન્વય ભાવ ટકતો નથી. વિંછી સાપ સિંહ કે વાઘ વરુમાં પણ દર્શન થવા કઠણ છે. કદાચ મંદિરે કે હવેલીમાં ભગવાનના દર્શન કરી શકીએ પરંતુ ઓફિસે આવેલ કોઈ કે દુકાને આવેલ કોઈ વ્યક્તિમાં દર્શન કરી શકાતા નથી. ત્યાં ભગવાન તુરત ભૂલાઈ જાય છે. ને આવું થતું હોય તો તેના કરતા સર્વ નામરૂપનો નિષેધ કરીને વ્યતિરેક ભાવથી રહેવું સુલભ પડે. મૂર્તિને આપણે ભગવાન માનતા હોઈએ તો પછી મૂર્તિ સામે આપણે ખોટું કામ કરી શકીએ નહીં. ભગવાનને ભોગ પણ ધરાવતા હોઈએ ત્યારે પણ થતું હોઈ છે મનમાં કે ભગવાન કયાં જમવાના છે. તે પ્રસાદી તો મારે જ ખાવાની છે તો ભગવાન પણ તે પ્રસાદ ગ્રહણ કરે નહીં. કયારેક ક્યારેક સઘળું માત્ર ઉપચાર પૂરતું થતું હોય છે. જ્યાં પુરો ભાવ જોઈએ શ્રદ્ધા જોઈએ તેવા ભાવથી કે શ્રદ્ધાથી ન થતું હોય તેથી જે આપણને લાભ મળવો જોઈએ તે મળતો હોતો નથી.

જેને સંપૂર્ણપણે નિર્ભયતા આવી ન હોય તે અન્વયભાવને સ્થિર નહીં કરી શકે. તે જગતના પદાર્થોમાં અનાસક્તિ પૂર્વક વ્યતિરેકભાવ રાખીને પણ સેવા કરી શકશે જે મહાત્માઓ કર્મને જ પ્રાધાન્ય આપે છે અને કહે છે કર્મથી જગત બંધન થયું છે તો તે સારા કર્મ કરાવીને ખોટા કર્મથી વ્યક્તિને છોડાવે છે અને ફલની આશાના ત્યાગપૂર્વક અકર્મણ્ય સ્થિતિ સુધી લઈ જાય છે. જેઓ અજ્ઞાનથી બંધન માને છે તેઓ જ્ઞાન આપીને છોડાવે છે. અને ત્રીજા પ્રકારના ભક્તિમાર્ગના આચાર્યો એમ માને છે કે ભગવાનની ઇચ્છાથી બંધન થયું છે તેથી ભગવાનની ભક્તિ કરીને ભગવાનને પ્રસન્ન કરવા જોઈએ. અને ભગવાન પછી ભક્તને પોતાની ઇચ્છાથી મુક્ત કરે છે. માટે ભગવાનના અનુગ્રહ માટે ભગવાન સાથે અનન્ય પ્રેમ બાંધવો જોઈએ. અને તેમાં પણ વિશેષતા તે છે કે શરીર મન અને પ્રાણ આ ત્રણમાં જેનું અધિક જોર હોય તે બાજુ લઈ જાય પોતાની તે પ્રકૃતિ મુજબ તે માર્ગ પકડી લે છે.

ઘણા ઘણા સંપ્રદાયના મહાત્માઓ સંસાર ક્ષણભંગુર છે નાશવંત મૃત્યુ અનિવાર્ય છે તેવી તેવી મૃત્યુ પરત્વેની ઘણી ઘણી વાતો કરીને વ્યક્તિમાં વૈરાગ્ય ઉત્પન્ન કરે છે પરંતુ પ્રેમનું રહસ્ય સમજાવતા હોતા નથી કે પ્રેમની દીક્ષા દેતા હોતા નથી. પ્રેમ પ્રભુનું સ્વરૂપ છે. પ્રેમમાં પ્રભુતા છે. પ્રેમને વ્યક્તિ તાબામાં કે કબજામાં કરતો નથી પણ પ્રેમ સર્વને પોતાના તાબામાં કરે છે વશ કરે છે તેથી પ્રેમમાં પ્રભુતા રહેલી છે. પ્રેમ માત્ર પ્રજા ઉત્પન્ન કરી શકે છે. એટલી જગત પ્રેમમાં શક્તિ છે. તેવી વ્યક્તિને પ્રેમના ખબર જ હોતા નથી અને આવા કામ માટે જે પ્રેમનો ઉપયોગ કરે છે તે સંભવ થોડો પ્રેમાંશ હોઈ શકે પ્રેમનો થોડો ભાગ પણ તેવા પ્રેમના થોડા ભાગથી પરમાત્માનો પ્રેમ સમજાય નહીં. તેથી કોઈ વિભુ પ્રેમને પામી ન શકાય. અને તેવા પ્રેમને માટે કોઈ પ્રેમના પૂર્ણ રહસ્યને પામનાર સદગુરુ પાસેથી પ્રેમની પણ દિક્ષા શિક્ષા લેવી પડે છે. જેમ જ્ઞાનની દિક્ષા શિક્ષા તેમ પ્રેમની શક્તિ તો અમોઘ છે.

વહેવારમાં થોડી માત્ર અલ્પ શક્તિને પ્રેમ ઉત્પન્ન કરવા માટે વાપરે છે. તેમાં પણ પુર્ણ સ્વાર્થની ગંધ સાથે તેથી શુદ્ધ પ્રેમની તો ત્યાં માત્રા મળતી નથી. વહેવારીક સઘળા કામોમાં કપટથી કે દંભથી કે સ્વાર્થથી જ પ્રેમનો ઉપયોગ થાય છે. આ સઘળું પ્રેમ શક્તિનું તોફાન છે. અને તોફાન જો શાંત થાય તો તો પ્રજા ઉત્પતિ પણ બંધ પડી જાય. જરૂર મીણબતી બળે છે ત્યારે પ્રકાશ આપે છે પણ તેથી આપણા પ્રાણ જે અઘટિત માગણી કર્યા કરે તો છુટ આપવાની જરૂર નથી. પ્રેમની દિશા વહેવારીક છે તો તેને પારમાર્થિક દિશા પકડાવી દેવાની જરૂર રહે છે કે જેમાં પરમાત્માનો પ્રેમ પામી શકાય અને તેના રહસ્ય કે શક્તિને પણ સમજી શકાય કે જેમાં નિસ્વાર્થતા છે માંગ વગરનો છે નિરિચ્છ છે અને તેમાં જ સઘળી શક્તિ કે સામર્થ્ય સમાયેલું છે કે જે જડને ચેતન કરે ચેતનને જડ કરે. અને આવો પરમાત્માનો પ્રેમ સદગુરુની કૃપાથી જ અને દિક્ષા શિક્ષાથી જ પામી શકાય છે અને જ્યારે આત્મજ્ઞાની શક્તિ પરમાત્મા તરફ વળે છે ત્યારે જે ભિતરમાંથી સારા સારા કાવ્યો તથા ભજનો અને સંગીતનો ઉદ્ભવ થાય છે સંસાર વહેવારમાં પણ અજાણ્યા સ્ત્રી પુરુષો અજાણ્યા કુટુંબના હોવા છતાં પણ પરસ્પરના મિત્ર તથા એક થઈ જાય છે.


વધુ આપણે કાલે જોઈશું…


Categories: વખત વિત્યાની પહેલા | Leave a comment

શ્રી વિચારસાગર


ગતાંકથી આગળ


તરંગ ચોથો

ઉત્તમાધિકારી ઉપદેશ – નિરૂપણ

શુભ સંતતિ અને તેના ત્રણ પુત્રોની કથા

દોહા

ગુરુ શિષકે સંવાદકી, કહૂં વ ગાથ નવીન |
પેખિ જાહિ જિજ્ઞાસુ જન, હોત વિચાર પ્રવીન || ૧ ||

ગુરુ – શિષ્યના સંવાદ દ્વારા ગ્રંથ સારો સમજાય છે; માટે તે વિષે હું એક કલ્પિત નવીન કથા કહું છું એ વાત સાંભળવાથી જિજ્ઞાસુ મનુષ્યો વિચાર કરવામાં પ્રવીણ થશે. (૧)

તીન સહોદર બાલ સુભ, ચક્રવર્તી સંતાન |
શુભસંતતિ પિતુ તિહિંનમૈ સ્વર્ગપતાલ જહાન || ૨ ||

એક ચક્રવર્તી રાજાના ત્રણ સારા પુત્રો સગા ભાઈઓ હતા. તેમના પિતાનું નામ શુભસંતતિ હતું અને સ્વર્ગ, મૃત્યુ અને પાતાળના લોક તેને નમતા હતા; અર્થાત્ તે ત્રણે લોકમાં તેનું રાજ્ય હતું. (૨)

તત્વદૃષ્ટિ ઈક નામ અહિ, દૂજો કહત અદૃષ્ટ |
તર્કદૃષ્ટિ પુની તીસરો, ઉત્તમ, મધ્ય, કનિષ્ટ || ૩ ||

તે ત્રણ બાળકનાં નામઃ સૌથી મોટાનું નામ તત્ત્વદૃષ્ટિ હતું, બીજાનું નામ અદૃષ્ટ હતું અને ત્રીજાનું નામ તર્કદૃષ્ટિ હતું. તેઓ અનુક્રમે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ અધિકારી હતા. (૩)

ચૌપાઈ

બાલપનો સબ ખેલત ખોયો, તરુણ પાય પુનિ મદન બિગોયો |
ધારિ નારિ ગૃહ માર પ્રકાશી, ભોગ લહૈં તુહું સબ સુખરાશી || ૪ ||

તે રાજાએ પોતાનું બાળપણ રમતાં રમતાં ગુમાવ્યું. તે જુવાન થયો ત્યારે કામદેવે તેને સતાવવા માંડ્યો; તેથી તેણે સ્ત્રીનું પાણિગ્રહણ કર્યું અને કામદેવનો પ્રકાશ અનુભવ્યો. એવી રીતે ગૃહસ્થાશ્રમી થઈ સર્વ સુખ ભોગવવા લાગ્યો. (૪)

શુભસંતતિનો વૈરાગ્ય

દોહા

સ્વર્ગભૂમિ પાતાલ કે, ભોગહિં સર્વ સમાજ |
શુભસંતતિ નિજ તેજબલ, કરત રાજકે કાજ || ૫ ||

આ રીતે ત્રણ લોકનું રાજ્ય વૈભવ, સારાં સંતાન વગેરે પામીને શુભસંતતિ રાજા સુખ ભોગવતાં ભોગવતાં પોતાના પ્રતાપ વડે રાજ્યકાજ કરતો હતો. (૫)

લહિ અવસર ઈક તિહિં પિતા, નિજ હિય રચ્યો વિચાર |
સુખસ્વરુપ અજ આતમા, તાસૂં ભિન્ન અસાર || ૬ ||
ઇહિં કારન તજિ રાજ યહ, જાનૂં આતમરુપ |
સ્વર્ગભૂમિ પાતાલકે, તિહું પુત્રહિં કરિ ભૂપ || ૭ ||

એક દિવસ શુભસંતતિના મનમાં વિચાર આવ્યો કે, સુખરૂપ તો ફક્ત આત્મા છે; આત્માથી ભિન્ન તમામ વસ્તુઓ તુચ્છ (સાર વગરની) છે, આટલા માટે મારા ત્રણ છોકરાઓને ત્રણ લોકનું રાજ્ય વહેંચી આપીને હું આ રાજ્ય તજીને ચાલ્યો જઉં અને આત્માના સ્વરૂપનો અનુભવ કરું. (૬,૭)

અસ વિચાર શુભસંતતિ કીના, મંત્ર પેખિ તિહું પુત્ર પ્રવીના |
દેશ ઈકંત સમીપ બુલાયે, નિજ વિરાગકે બચન સુનાયે || ૮ ||
ભાખ્યો પુનિ યહ રાજ સંભારહુ, ઈક પતાલ ઈક સ્વર્ગ સિધારહુ |
અપર બસહુ કાશી ભુવિ સ્વામી, રહત જહાં શિવ અંતરયામી || ૯ ||
જિહિં મરતહિં સુનિ શિવ ઉપદેશા, અનયાસહિં તિહિં લોક પ્રવેશા |
ગંગ અંગ મનુ કીર્તિ પ્રકાશૈ, ઉત્તર વાહિની અધિક ઉજાસૈ || ૧૦ ||

આવો વિચાર કરીને પોતાના મંત્રીને એ વાત સમજાવી અને પછી ત્રણે પુત્રોને એકાંતમાં બોલાવી કહ્યું કે મને સંસાર ઉપરથી વૈરાગ્ય થયો છે; માટે હવે તમે ત્રણે જણ આ રાજ્ય સંભાળી લોઃ એક જણ સ્વર્ગનું, એક જણ પાતાળનું અને એક જણ કાશીનગરમાં રહીને ભૂલોકનું (મૃત્યુલોકનું) રાજ્ય કરજો.

કાશી નગરી અતિ ઉત્તમ છે. તેમાં અંતર્યામી મહાદેવજી નિવાસ કરી રહ્યા છે. એ નગરીમાં જે મરણ પામે છે, તેને મહાદેવજી મૃત્યુ વખતે તારકમંત્રનો ઉપદેશ કરે છે; તેથી અનાયાસે મહાદેવના લોક (કૈલાસ)માં જાય છે. ત્યાં આગળ ઉત્તર ભણી વહેનારી ગંગાનદીનાં શ્વેત પાણી, તે જાણે એ નગરીની કીર્તિનો પ્રકાશ ન કરી રહ્યાં હોય, તેવાં શોભે છે. (૮ – ૧૦)


વધુ આવતા અંકે


Categories: વિચારસાગર | Leave a comment

જગમાં જાવું છે મરી – (37)

રાગઃ- કર મન ભજનનો વેપાર

જગમાં જાવું છે મરી, જીવડા ભજન લે કરી –ટેક

કાયા તારી કરમાઇ જાશે, કમળ ફૂલની કળી
ઝડપ દઇને ઝાલી લેશે, જોર નહીં હાલે જરી –1

મારાં માનેલ તારાં નથી, નક્કી લેજે કરી
અંત સમયે અળગાં રહેશે, ગણશે શ્વાસની ઘડી –2

અણમૂલ અવસર આવ્યો, એની કિંમત લેજે કરી
ભજન કર ભગવાનનું તું, હૈયે હેત ધરી –3

માયા તો મનની માનેલ, ખબર પડે જ્યારે ખરી
ભજનપ્રકાશ તું દિલની દુબજાને નાખજે એમ દરી –4

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

Blog at WordPress.com.