ગતાંકથી આગળ…
તો પ્રશ્ન થાય કે આખુ જગત પૂર્ણ છે ૐ પૂર્ણ મદઃ જોતા તો તેથી સંપ્રદાયની શી જરૂર છે? સંપ્રદાય પૂર્ણનો વધારો કે સુધારો કરી શકે નહીં અને પૂર્ણમાં સુધારો થાય તો તે પૂર્ણ કહેવાય નહીં. સંપ્રદાય પોતે સામાન્ય રીતે અપૂર્ણ રહે છે. તેનું ખાસ કારણ તે છે કે મૂળ પુરુષ જે આત્મજ્ઞાન માટે સરળ પદ્ધતિ બતાવી હોય તેના દેહાંત પછી તે પદ્ધતિ સમજાવનાર કોઈ ઠીક રીતે બરાબર સમજાવી શકે તેવા પુરુષનો અભાવો રહે છે. દીવા પાછળ અંધારું. તેમ કોઈ તેજસ્વી મહાપુરુષ હોતો નથી જ્યાં જ્યાં તેવા મૂળ પુરુષ પર નજર કરીએ તો બહુ પ્રકારે તેમાં આવાનો અભાવો જણાય છે. કાંઈક અંશે કોઈ હોય તો પણ પરંપરામાં નબળાઈ જણાતી આવે છે અને ઠીક કોઈ મહાપુરુષ જો ત્યાં પ્રગટ થઈ જાય તો ફરી તેને શોભાવે છે બહુ પ્રકારે મળતો નથી. તેથી આત્મજ્ઞાનને બદલે અજ્ઞાન વધે તેવી રુઢીઓ બંધાવા લાગે છે. અને ઉલટું અજ્ઞાનનો વધારો થાય છે. અને અજ્ઞાન વર્ધક ધારા ધોરણ નક્કી થાય છે. અને તેવી રુઢીઓ નક્કી થાય છે અને બહારની દૃષ્ટિને લલચાવે તેવા નિયમો તે તે સંપ્રદાયમાં ઉત્પન્ન થાય છે.
કોઈ સંપ્રદાયની અંદર પાણી ઓછું ઢોળવું તેવો નિયમ છે. કારણ કે પાણી ઢોળાય તો ત્યાં જંતુ ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન ન થાય તો તેટલી હિંસાથી બચી શકાય તેથી તે સંભાળ રાખે છે. એટલે ઘણા કહેતા હોય કે ભાઈ રાખે તેનો ધર્મ છે. જુવો હું બે મહિનાથી નહાયો નથી. ઠીક છે. વાત પણ વાસ્તવિક રીતે જોતા જે પાણીથી માણસ કે જીવ ઉત્પન્ન થાય છે તે જ પાણીથી જીવે છે. અને પાણી વિના જ મરે છે. શરીરમાં પણ પાણી ઘટી જાય તો માણસ જીવી શકતો નથી. તેથી પાણીની કિંમત છે. અને દુષ્કાળ વખતે પાણીની કિંમત સમજાય છે. તેથી ઓછું ઢોળવું જોઈએ. માણસ નવા નવા આશ્રમો અને નવા નવા સંપ્રદાયો અને સંઘો બનાવતો જાય છે. અને શરૂઆતમાં તો ખુબ ઉત્સાહી હોય છે અને તે સાહસિક માણસોએ સમાજના અમુક હેતુ માટે ઉભા કરેલા હોય છે. અને અમુક સંપ્રદાય તો મૂળ પુરુષના દેહાંત પછી એવા બની જાય છે કે ત્યાં જે મૂળ હેતુથી ઊભા કરેલ હોય અને તેમાં પછી મૂળ હેતુનું તો નામ નિશાન પણ રહેતુ નથી કારણ કે મૂળ પુરુષ પછી પણ જો સારો માણસ મૂળ પુરુષની જ્ઞાન પરંપરાને સાચવનાર ન રહે તો સઘળાની દશા એવી થાય છે અને જો મળી રહે તો ઠીક હેતુ સચવાય છે. તેમાં પણ વળી ફરી કોઈ કાલાન્તરે કોઈ મળી આવે તો ફરી હેતુને ચેતના ભરી આપે છે. જાગૃત બનાવે છે. આપણે અહીં જે માણસ જે આશય કે હેતુથી આશ્રમ સ્થાપે છે તેના ગયા પછી તે આશ્રમની વ્યવસ્થા તે આશયથી કે હેતુથી સભાળનાર ઓછા મળે છે. તેનું મૂળ કારણ તે છે કે તેવી સંસ્થાઓ જે જીવનનો પરમ પુરુષાર્થ સિદ્ધ કરી આપતી નથી અને તેવી સંસ્થાઓ પણ ઓછી હોય છે કે જે પરમ પુરુષાર્થ સિદ્ધ કરી આપે જે જીવનનો હેતુ સમજાવે. આત્મા પરમાત્માનું જ્ઞાન આપે અને તેવા અધિકારી પણ ઓછા હોય છે અને તે પરમ પુરુષાર્થનો આધાર સૌ સૌના આત્મ બળ પર છે. અને જેને આત્મજ્ઞાન થાય છે તે કોઈ પણ સંપ્રદાયિક વાડામાં બંધાતો નથી. સંપ્રદાયમાં દિક્ષા શિક્ષા લેવી જરૂરી છે
મતલબ કે કોઈ પણ સંપ્રદાયમાં જન્મ લેવો કે થવો જરૂરી છે પરંતુ મૃત્યુ તો વાડાના બંધન બહાર મુક્તપણે થવું જોઈએ. વિશાળતા વ્યાપકતા આપણું અંતિમ લક્ષ્ય છે. અસલ જીવન પણ શાશ્વત અમર જીવન છે તે ચુકવું ન જોઈએ. સંપ્રદાય પોતે અધૂરો કે અપૂર્ણ છે. પરંતુ સંપ્રદાય કરતા આત્મજ્ઞાની પુરુષની કિંમત અધિક છે પણ તે પુરુષને જ્ઞાન જે રીતે થયું હોય તે રીતે બીજાને સમજાવવું હોય તો પદ્ધતિની જરૂર પડે છે. અને તેમાંથી જ સંપ્રદાય ઊભો થાય છે કે ઉત્પન્ન થાય છે. વળી લગભગ દરેક મહાત્માઓને આત્મજ્ઞાન જુદી જુદી રીતે થાય છે. તેથી નવા નવા સંપ્રદાય ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી આત્મજ્ઞાની પુરુષની ઉપસ્થિતિ હોય ત્યાં સુધી તે સંપ્રદાયથી સારો લાભ મળે છે લોકોને. પરંતુ તે મૂર્તિ બ્રહ્મલીન થયા પછી જોઈએ તેવો લાભ મળતો નથી. કારણ કે તે મહાપુરુષ સત્યની જ મૂર્તિ કે મૂર્તરૂપ હોય છે. તેથી પ્રગટ સત્યથી પ્રગટ લાભ થઈ શકે છે. મૂળપુરુષને તત્વની ઝાંખી કે અનુભવ લેવામાં જે મુશ્કેલીઓ પડી હોય તેથી તે શિષ્યોની મુશ્કેલીઓને તે તપાસી કે સમજી શકે છે. અને તે પ્રમાણે રસ્તો બતાવી શકે છે. કોઈ અધ્યાત્મ પથ પર ચાલનારા ઉત્તમ જિજ્ઞાસુ હોય થોડા કષ્ટથી મુશ્કેલીથી રસ્તો પસાર કરી શકે છે. પરંતુ તેના બ્રહ્મ લીન થયા પછી તેની જગ્યાએ અંતિમ લક્ષ્યને પામેલો કે પહોંચેલો પુરુષ છેવટે ન મળવાથી બીજાઓને મુશ્કેલીમાં રસ્તો મળતો નથી. તેથી જેને પોતાના ગુરુની જ્ઞાન પરંપરામાં કે જે ગુરુએ આપ્યું છે સંપ્રદાન કર્યું છે તેમાં જેને વિશ્વાસ તથા શ્રદ્ધા હોય તે માણસ પોતાના મૂળ પુરુષના લખાણો વાંચે પુસ્તકો વાંચે કાવ્યો જીભે ગાય અને અન્ય જગ્યાએ પણ જે આત્માના અનુભવવાળા છે તેવા પુરુષ મળે તે સાથે તે જ્ઞાનને સરખાવશે તો જરૂર ત્યાં એકતા અદ્વૈતતા જણાશે. પરંતુ જ્યારે પોતાના મૂળ પુરુષના જ્ઞાનની શિષ્ય પરંપરા ચાલે છે. ત્યારે ઘણા તેમ માનતા થઈ જાય છે મારું છે તે જ સાચુ છે. અન્યનું બરાબર નથી. આ જ્યારે માન્યતા ઊભી થાય છે ત્યારે સત્ય લુપ્ત થઈ જાય છે. પરમ તત્વ તેવી માન્યતામાં ઢંકાઈ જાય છે. દરેક ધાર્મિક સંપ્રદાયે પોતાના જીવનનો હેતુ વિશાળ બનાવવો જોઈએ. વિશાળતામાં તથા વ્યાપકતામાં જીવન ઢાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. કોઈ મહાપુરુષ યોગ બતાવે છે અને કહે છે કે અષ્ટાંગ યોગનો અભ્યાસ કરો. સમાધિ કરો. આસન પ્રાણાયામ ધ્યાન ધારણા કરો. ઇત્યાદિ ઇત્યાદિ અંગોનું સેવન કરો. મોક્ષ થશે. આત્મજ્ઞાન થશે.
વધુ આપણે કાલે જોઈશું…