Daily Archives: 03/11/2008

FIVE STAR EDUCATION – (Rajendrabhai Jani)


COMO,6152,PERTH, ઓસ્ટ્રેલિયાથી Five Star Education વિષે શ્રી રાજેન્દ્રભાઈ જાનીએ નાનકડો લેખ મોકલેલ છે. ભજનામૃત વાણીમાં તેમનો આ લેખ પ્રકાશિત કરવાની અનુમતી દેવા બદલ તેમનો ખુબ ખુબ આભાર.


FIVE STAR EDUCATION

Others who are literetes,
who can read and write,
Can’t get your benifits right!
The first objective and the first star of literacy !…(1)

Secondly, you may not be cheated,
You may enjoy facilities of advanced techonology,
Free from boss’s Exploiting Psychology !…(2)

Third star of education is
the freedom from physical laboure !
You get ” white colour ” job , work with your mind ,
leave the laboure behind !…(3)

Fourth factor is the aminities,facilities and
what ever is of your choice !…(4)

Fifth star is the Real education of a HUMAN -BEING !
NO INCARCERATION ,NO RE-BIRTH FOR EVER !!!

Categories: ચિંતન | Leave a comment

વખત વિત્યાની પહેલા શું? – (6)


ગતાંકથી આગળ…


અહીં એક તત્વનું સ્વરૂપ સમજાવવા માટે જે ભાષાનો ઉપયોગ કરવો પડે છે અને અજ્ઞાન દશામાં જે શબ્દો અને તેના અર્થો સમજાવવામાં આવે છે કે તેમાં જે શબ્દોનો અર્થ સમજાવવામાં ઉપયોગ કરવામાં આવે છે તે શબ્દો જ્ઞાન દશામાં નવા અર્થ માટે કામ આવી શકતા નથી.તેથી તે જ્ઞાનદશાના અર્થ સમજાવવા માટે મહાત્માઓ નવા નવા શબ્દો વાપરે છે. અને તેમાંથી જ ભજન વાણીના શબ્દો નવા નવા વપરાતા રહ્યા છે. અને પ્રવચનમાં પણ અલગ અલગ ઢંગથી કે રીતભાતથી શબ્દો વસ્તુને સમજાવવા મહાત્માઓ કહેતા હોય છે. અને તેવા શબ્દોથી તેના શિષ્યો તથા તે દશામાં જ રહેલા હોય તેને ફાયદો થાય છે. પરંતુ તે શબ્દો બીજાને ઉપયોગી થતા નથી. તે શબ્દો પૂર્ણ સમાજને કામ આવતા નથી. સમાજને પોતાના શબ્દોમાં નવા અર્થ જોઈએ છે અને તે કામ બરાબર બની શકતું નથી. અને ઇશ્વર કે પરમાત્મા એક છે છતાં ધર્મને નામે જુદા જુદા સંપ્રદાયો પરસ્પર મારા તારા ભગવાનનો ભેદ પાડીને લડતા હોય છે. જ્યારે જ્ઞાનની ભાષા સમજવાની અને નવા પ્રકારના વિચારોની ટેવ પાડવી જોઈએ.

આ સારું એ જગત આનંદમય અને ચૈતન્ય સ્વરૂપ છે સચ્ચિદાનંદ સ્વરૂપ સ્વભાવવાળું છે છતાં અમને અસત જડ તથા દુ:ખરૂપ દેખાય છે કારણકે તે આપણે જે કાચથી
કે દુરબીનથી જગત કે કોઈ પણ વસ્તુ જોઈએ છે ત્યારે ત્યાં કાચ કે દુરબીન પોતાનો ધર્મ પ્રગટ કરે છે. દુરબીન એક તો દુરનું નજીક જેવું દેખાડે છે અને ઘણા કાચ નાની વસ્તુને મોટી કરીને દેખાડે છે તે વસ્તુનો ધર્મ નથી. પણ તે કાચનો ધર્મ છે. વસ્તુ વસ્તુ જ હોય છે. આપણે ક્યારે આપણા શરીરને કોઈ કાચમાં જોશું તો આપણા કદના માપ કરતા ઘણું મોટું તથા લાંબુ કે વિકૃતિવાળું દેખાશે ઘણા કાચમાં આપણું માથું મોટું છાતી પેટ ઘણા નાના મોટા વિકૃતિવાળા પગ કેડેથી ખુબ લાંબા દેખાય. કોઈકમાં ટૂંકા દેખાય અને કોઈમાં કેડથી ઉપરનો ભાગ ઘણો જ કદરૂપો દેખાતો હોય છે અને ઘણા કાચમાં આપણા બિંબ જેવું પ્રતિબિંબ દેખાતું હોય છે. તેથી તે સઘળો કાચનો ધર્મ છે તો આપણે જે જગત જોઈએ છે તેમાં આપણને જે ઇન્દ્રિયો મન બુદ્ધિ જે બતાવે છે તેટલું સાચું માનીએ છીએ. અને જગતનો જે જોયા વગરનો ભાગ છે તે કે જેની સાથે મન બુદ્ધિ તથા ઇન્દ્રિયોને સબંધ થયો નથી તે જગત નથી તેમ મનાય છે. એટલા માટે આપણે જેમ આપણા શરીરના કદમાં કે બિંબ પ્રતિબંબમાં કાચ પોતાનો ધર્મ બતાવે છે તે કાચનો ધર્મ પણ સમજવો પડે નહીંતર માન્યતામાં ભૂલ થાય તેમ અહીં પણ જગત સચ્ચિદાનંદ સ્વરૂપ કે સ્વભાવવાળું દેખાવાને બદલે અસત જડ તથા દુ:ખરૂપ દેખાય છે તેમાં અજ્ઞાન તથા માયા અને સત્ય કે પરમાત્માને સમજવા માટે આપણે દશા ફેરવવી પડે જે દશાથી જોઈએ છીએ તે દશાથી પરમાત્માને ન જોઈ શકાય કે સમજી શકાય.

જીવનમાં જો સાચો પ્રશ્ન થશે તેના સાચા ઉતર પણ મળશે. જ્યાં પ્રશ્ન થાય છે ત્યાં જ ઉતર છે. કારણ કે દુરબીન કે કાચમાં જે દેખાય છે તેની ભૂલ કયાં થાય છે તેનો ઉતર પણ ત્યાં દુરબીન કે કાચમાં જ છે. કારણ કે સમાન્યરૂપમાં જે દેખાતા પદાર્થોના વિરુદ્ધ સ્વભાવો તે તે દૃષ્ટિ કે દર્શન દુર થતાં દેખાતા નથી કે વિરુદ્ધ રહેતા નથી.

સામાન્ય રૂપમાં માણસ પોતાને હું હું કરતો ચાલે છે. તેમાં હું તેનો મુખ્ય વિષય તો ચૈતન્ય છે. છતાં દેહ ઇન્દ્રિયો તથા અંતઃકરણને વિષય બનાવીને જે હું હું કરતો હોય છે તે દુરબીન કે કાચમાંથી જોયેલો હું છું. ઇન્દ્રિયો મન બુદ્ધિ બધા સેળભેળ કરીને અનુભવ આત્મા સુધી પહોંચાડે છે અને તે હું જ્યારે જ્ઞાનદશા થાય છે તેમાં તે હું રહેતો નથી. આ વાતને આપણા અનુભવી મહાત્માઓ સારી રીતે સમજી શકે છે. તેવી જ રીતે સામાન્ય ભાષાના શબ્દોના બધા અર્થો પણ જ્ઞાનની દશામાં ફરી જાય છે. આત્માના કે પરમાત્માના ક્ષેત્રને માટે ભાવ કે રસ જ્યાં સુધી પેદા ન થાય ત્યાં સુધી તે ક્ષેત્ર ના ધર્મ કે અર્થ સમજાશે નહીં.

આ પરમાત્માના ક્ષેત્રમાં આખું સમષ્ટિ જીવન એક સાથે ચાલતું હંમેશા આપણી નજર આગળ રહે છે. અને તે જ દૃષ્ટિથી બહારની વસ્તુઓની આપણે કિંમત આંકીએ છીએ. અને તેવી ઉતમ દૃષ્ટિ પ્રાપ્ત કરવા માટે પણ ટેવ પાડવી જોઈએ.

જે જગતમાં સુખ તથા સૌંદર્ય જોઈ શકતા નથી અને દુ:ખ તથા દીલગીરી જુવે છે તે ખરૂં સાચું જગત જોઈ શકતા નથી. તેમનું જોયેલું જગત તે પૂર્ણ જગત કે આખું જગત નતી. તે તેમનુ પોતાનું માનેલું જગત છે. આપણ જે જ્ઞાનથી ઓછી તથા અલ્પ વસ્તુ જોઈએ છે તે જ્ઞાનથી આપણે પૂર્ણ કે આખી વસ્તુ જોઈ શકશું નહીં. તેથી આપણા જીવનની શરૂઆતમાં આત્મજ્ઞાનની બહુ જ જરૂર છે. જો જ્ઞાન હશે તો વહેવાર અને પરમાર્થની એકતા સમભાવે સહજ રીતે કરી શકાશે.


વધુ આપણે કાલે જોઈશું…


Categories: વખત વિત્યાની પહેલા | Leave a comment

શ્રી વિચારસાગર

મુમુક્ષુતાનું લક્ષણ

બ્રહ્મપ્રાપ્તિ અરુ બન્ધકી, હાનિ મોછકો રુપ |
તાકી ચાહ મુમુચ્છુતા, ભાખત મુનિવરભૂપ || ૨૧ ||

બ્રહ્મની પ્રાપ્તિ અને બંધની નિવૃત્તિને મોક્ષ કહે છે. મોક્ષની ઈચ્છાને મુમુક્ષુતા કહે છે; એનું જ બીજું નામ મુમુક્ષુત્વ છે.

અંતરંગ સાધનો

યે ચવ સાધન જ્ઞાનકે, શ્રવનાદિક ત્રય મેલિ |
તત્પદ ત્વંપદ અર્થકો, સોધન અષ્ટમ ભેલિ || ૨૨ ||
ભન્તરન્ગ યે આઠ હૈં, યજ્ઞાદિક બહિરન્ગ |
અન્તરન્ગ ધારૈ, તજૈ બહિરન્ગકો સન્ગ || ૨૩ ||

પૂર્વોક્ત વિવેકાદિ ચાર જ્ઞાનનાં સાધન છે. તથા તેમાં શ્રવણ, મનન અને નિદિધ્યાસન એ ત્રણ મેળવવાં, તથા તત્ પદ અને ત્વં પદના અર્થના શોધનરૂપ આઠમું સાધન ઉમેરવું એટલે એ આઠ અંતરંગ સાધન કહેવાય છે. યજ્ઞાદિકને બહિરંગ સાધન કહે છે. મુમુક્ષુએ અંતરંગ સાધનો રાખવાં અને બહિરંગનો સંગ છોડી દેવો.

પ્રતિપાદક પ્રતિપાદ્યતા, ગ્રન્થ બ્રહ્મ સમ્બન્ધ |
પ્રાપ્ય પ્રાપકતા કહત, ફલ અધિકૃતકો ફન્દ || ૨૪ ||

ગ્રંથ અને બ્રહ્મનો પ્રતિપાદક – પ્રતિપાદ્યતા રૂપ સંબંધ છે, તેમ જ મોક્ષફળ પ્રાપ્ય છે અને અધિકારી તેનો પ્રાપક (પ્રાપ્ય કરનારો) છે; માટે એ પ્રાપ્ય-પ્રાપ્યકતા રૂપ સંબંધ છે.

વિષય-વર્ણન

જીવબ્રહ્મકી એકતા, કહત વિષય જન બુદ્ધિ |
તિનકો જે અન્તર લહૈ, તે મતિમન્દ અબુદ્ધિ || ૨૫ ||

જીવ અને બ્રહ્મની એકતા એ આ ગ્રંથનો વિષય છે, એમ બુદ્ધિમાન પુરુષો કહે છે; ને જીવ અને બ્રહ્મમાં જે ભેદ માને છે, તે મંદમતિવાળો તથા જ્ઞાનહીન છે એમ જાણવું.

પ્રયોજન – વર્ણન

પરમાનન્દ સ્વરુપકી, પ્રાપ્તિ પ્રયોજન જાનિ |
જગત સમૂલ અનર્થ પુનિ, વ્હૈ તાકી અતિહાનિ || ૨૬ ||

પરમ આનંદરૂપ બ્રહ્મસ્વરૂપની પ્રાપ્તિ અને આ જગત તેના કારણ સહિત અનર્થરૂપ છે; માટે તેની નિવૃત્તિ એ આ ગ્રંથનું પ્રયોજન છે.

પ્રયોજન વિષે શંકા સમાધાન

(કવિત)

જીવકો સ્વરુપ અતિ આનન્દ કહત વેદ,
તાકૂ સુખ પ્રાપ્તિકો અસમ્ભવ બખાનિયે |
આગે જો અપ્રાપ્ત વસ્તુ તાકી પ્રાપ્તિ સમ્ભવત,
નિત્ય પ્રાપ્ત વસ્તુકી તૌ પ્રાપ્તિ કિમ ભાનિયે ?
એસી શન્કા લેસ આનિ કિજૈ ન વિશ્વાસહાનિ,
ગુરુકે પ્રસાદતૈં કુતર્ક ભલે ભાનિયે,
કરકો કન્ગન ખોયો એસો ભ્રમ ભયો જિહિં |
જ્ઞાન તૈ મિલત ઈમ પ્રાપ્તપ્રાપ્તિ જાનિયે || ૨૭ ||

જીવ અતિ આનંદસ્વરૂપ છે, એમ વેદ કહે છે. તે આનંદસ્વરૂપ જીવને આનંદની પ્રાપ્તિ કહેવી એ તો અસંભવ વાત છે; પહેલાં જે વસ્તુની પ્રાપ્તિ ન હોય, તેની પ્રાપ્તિ સંભવે છે; પણ જે વસ્તુ નિત્યપ્રાપ્ત હોય, તેની પ્રાપ્તિ શી રીતે મનાય? એવી લગાર પણ શંકા લાવીને વેદ-ગુરુવાક્યમાંથી વિશ્વાસ ઓછો કરવો નહિ, પણ ગુરુની કૃપાથી વાદીઓના એવા કુતર્કોનો ભલી રીતે નાશ કરવો. જેમ કોઈના હાથમામ કંકણ છતાં ‘મારા હાથનું કંકણ ખોવાયું છે,’ એવો કોઈને ભ્રમ થાય, ત્યારે તેને કોઈ તેના હાથમાં કંકણ બતાવીને કંકણનું જ્ઞાન થવાથી કંકણ ખોવાયાની ભ્રાંતિ ટળી જાય છે, તેમ હું આત્મા બ્રહ્મ છું એવું ગુરુ પાસેથી જ્ઞાન મળવાથી પોતાની પ્રાપ્તિ પોતાને થાય છે. એવી રીતે પ્રાપ્તની પ્રાપ્તિ થઈ શકે છે.

અધિષ્ઠાન તૈં ભિન્ન નહીં, જગતનિવૃત્તિ વખાન |
સર્પનિવૃત્તિ રજ્જુ જિમ, ભયે રજ્જુ કો જ્ઞાન || ૨૮ ||

જેમ દોરડીનું જ્ઞાન થયા પછી સર્પની નિવૃત્તિ તે દોરડીથી ભિન્ન નથી, તેમ જગતની નિવૃત્તિ તે તેના અધિષ્ઠાનરૂપ બ્રહ્મથી ભિન્ન નથી.

જો જન પ્રથમ તરન્ગ યહ, પઢૈ તાહિ તતકાલ |
કરહુ મુક્ત ગુરુમૂર્તિ વ્હૈ, દાદૂ દીનદયાલ || ૨૯ ||

જે મનુષ્ય આ પ્રથમ તરંગ ભણે, તેને ગરીબ ઉપર દયા કરનાર દાદુજી ગુરુરૂપ થઈને તત્કાળ મુક્ત કરે છે.

(પ્રથમ તરંગ સમાપ્ત)

Categories: વિચારસાગર | Leave a comment

રે રે તું મનવા ભૂલ્યો કાં ભમે રે – (32)

રાગઃ- મન સમજ્યા વીના સઇ ગતિ થઇ તારા

રે રે તું મનવા ભૂલ્યો કાં ભમેરે
સાહેબ સમરણ લે કરી, મન ચેતી લેને –ટેક

માત ઉદરમાં પ્રાણી શું બોલી બોલ્યો તોને
વચન દીધું તું તે ધરી –રે મન

બહાર આવીને પ્રાણી બોલી બદલ્યો તું
માયામાં મતિ તારી ગળી — રે મન

આ અવનીમાં આવી પ્રાણી અવસર ખોયો
ઠાકરમાં બુધ્ધિ ન કરી — રે મન

ધીક જનની ની તે કુખ લજાવી પ્રાણી
ભારે નવ માસ મરી — રે મન

નારાયણ સ્વામીએ નર તન દીધું
એની કિંમત કોડી નવ કરી –રે મન

જોત જોતામાં વસ્તુ હેરાઇ જાશે ને
ચેતી લે આ છે શુભ ઘડી — રે મન

આરે સંસારમાં પ્રાણી શિયું સુખ લીઘું ને
સ્વપ્નાની બાજી આખરી — રે મન

આવ્યું રે એવું પ્રાણી ચાલ્યું જાશે ને
હ્રદયે વિચાર જોને કરી — રે મન

કહી કહીને પ્રાણી તને કેટલુંક કહેવુંને
ગમાર ગમ ના પડી — રે મન

ભજનપ્રકાશ ભવનો પ્રાણી ફેરો આફાળ્યોને
સમજુએ સાધી આ ઘડી — રે મન

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

Create a free website or blog at WordPress.com.