સત્વગુણી થઇને સંતને સેવવાને, કરવું નહીં કપટ કે દંભ
સરળ હ્રદયે સેવા કરવીને, કરવો સદા સતસંગ –1
રજો-તમ ભોજનમાં રુચિ નવ કરવીને, કરવું સાત્વિક ભોજન
ભક્ષ્યાભક્ષ્ય કદી ભોજન ન કરવું ને,જમવું સદા શુધ્ધ અન્ન –2
આહારશુધ્ધિ અંતરથી રાખવીને, મિતાહારમાં રાખવું મન
સંયમથી કદી ચૂકવું નહીં ને, મજબુત રાખવું માયલું મન –3
રજ તમ ગુણને દીલથી દૂર કરવાને, વર્તવું સાત્વિક વર્તન
સ્વભાવથી સદા શાંત રહેવુંને, ધરતી સમ રાખી ધીર મન –4
આઠે પહોર ભાઇ રહેવું આનંદમાં, નિત નિત લાવવો રંગ
ભજનપ્રકાશ ભજનમાં રહેવુંને, કરવો નહીં કદી કુસંગ –5