ઈચ્છાશક્તિ – (સ્વામી વિવેકાનંદ)

sv3


(અત્રે ઈચ્છાશક્તિ વિષેના સ્વામી વિવેકાનંદના થોડાં વિચારો જોશું.)


૧. મહાન કાર્યો કદી આસાનીથી થઈ શક્યાં છે? સમય, ધૈર્ય અને અદમ્ય ઇચ્છાશક્તિ પોતાનું પરિણામ બતાવી આપશે જ.

૨. સફળ થવા માટે તો તમારામાં જબરદસ્ત ખંત હોવું જોઈએ, પ્રબળ ઈચ્છાશક્તિ હોવી જોઈએ, “હું સાગર આખો પી જઈશ, મારી ઈચ્છાશક્તિના જોરે પર્વતોના ચૂરા થઈ જશે,” ખંતીલો જીવ એમ બોલે. એ પ્રકારનો ઉત્સાહ રાખો, એ જાતની ઈચ્છાશક્તિ કેળવો તો તમે ધ્યેયે પહોંચશો જ.

૩. ક્ષણવારને માટે પણ ડરને સ્થાન આપશો નહીં; સઘળું બરાબર થઈ રહેવાનું છે. ઈચ્છાશક્તિ જ જગતને ચલાવે છે.

૪. ઈચ્છાશક્તિ દ્વારા જ સઘળું કાર્ય સિદ્ધ થઈ શકશે.

૫. પરિવર્તનથી ઈચ્છાશક્તિ વધુ મજબૂત થતી નથી; તે નિર્બળ બને છે અને પરિવર્તનને વશ થાય છે.પણ આપણે હંમેશા સંગ્રહણવૃત્તિ વાળા થવું જોઈએ. સંગ્રહણવૃત્તિથી ઈચ્છાશક્તિ મજબૂત થાય છે.

૬. બીજી બધી વસ્તુઓ કરતાં ઈચ્છાશક્તિ વધુ બળવાન છે. એની આગળ બીજું બધું શિર ઝૂકાવે છે. કારણ કે ઈચ્છાશક્તિનું મૂળ છે ઈશ્વર, સ્વંય પરમાત્મા. પવિત્ર અને પ્રબળ ઈચ્છાશક્તિ સર્વ શક્તિમાન છે.

Categories: સ્વામી વિવેકાનંદ | Tags: | 2 Comments

Post navigation

2 thoughts on “ઈચ્છાશક્તિ – (સ્વામી વિવેકાનંદ)

  1. Nice. You would like to read similar thoughts from Swamiji at http://rutmandal.info/parimiti/

  2. Fine, Young generation should read it

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: