Daily Archives: 23/10/2008

ઈચ્છાશક્તિ – (સ્વામી વિવેકાનંદ)

sv3


(અત્રે ઈચ્છાશક્તિ વિષેના સ્વામી વિવેકાનંદના થોડાં વિચારો જોશું.)


૧. મહાન કાર્યો કદી આસાનીથી થઈ શક્યાં છે? સમય, ધૈર્ય અને અદમ્ય ઇચ્છાશક્તિ પોતાનું પરિણામ બતાવી આપશે જ.

૨. સફળ થવા માટે તો તમારામાં જબરદસ્ત ખંત હોવું જોઈએ, પ્રબળ ઈચ્છાશક્તિ હોવી જોઈએ, “હું સાગર આખો પી જઈશ, મારી ઈચ્છાશક્તિના જોરે પર્વતોના ચૂરા થઈ જશે,” ખંતીલો જીવ એમ બોલે. એ પ્રકારનો ઉત્સાહ રાખો, એ જાતની ઈચ્છાશક્તિ કેળવો તો તમે ધ્યેયે પહોંચશો જ.

૩. ક્ષણવારને માટે પણ ડરને સ્થાન આપશો નહીં; સઘળું બરાબર થઈ રહેવાનું છે. ઈચ્છાશક્તિ જ જગતને ચલાવે છે.

૪. ઈચ્છાશક્તિ દ્વારા જ સઘળું કાર્ય સિદ્ધ થઈ શકશે.

૫. પરિવર્તનથી ઈચ્છાશક્તિ વધુ મજબૂત થતી નથી; તે નિર્બળ બને છે અને પરિવર્તનને વશ થાય છે.પણ આપણે હંમેશા સંગ્રહણવૃત્તિ વાળા થવું જોઈએ. સંગ્રહણવૃત્તિથી ઈચ્છાશક્તિ મજબૂત થાય છે.

૬. બીજી બધી વસ્તુઓ કરતાં ઈચ્છાશક્તિ વધુ બળવાન છે. એની આગળ બીજું બધું શિર ઝૂકાવે છે. કારણ કે ઈચ્છાશક્તિનું મૂળ છે ઈશ્વર, સ્વંય પરમાત્મા. પવિત્ર અને પ્રબળ ઈચ્છાશક્તિ સર્વ શક્તિમાન છે.

Categories: સ્વામી વિવેકાનંદ | Tags: | 2 Comments

જીરે સંતો અધ્યાત્મ જ્ઞાને કરી – (21)

રાગઃ લોયણના ભજનનો

જીરે સંતો અધ્યાત્મ જ્ઞાને કરી અંતર ગાળો જીરે
ત્યાં મૂલે તપાસો જોને માયા હાં

જીરે સંતો એક છે આસુરી બીજી છે સુરી હોજી
જેથી જગત દ્વૈત રચાયાં હાં

જીરે સંતો આસુરીથી અજ્ઞાન અતિ ઉર ઉપજે જીરે
વધે દંભ મોહ માયા હાં

જીરે સંતો આનંદ ઉપજાવી શાંતિ થાવે જી હોજી
સુરી કરે સુખ છાંયા હાં

જીરે સંતો ત્રિગુણી માયામાં આ જગત બંધાણું જી
જેનાથી ત્રણ લોક રચાયાં હાં

જીરે સંતો જીવની જાતો ઘણો ભવસાગર ભટકેજી
ફેર ફેર જનમ મરણ પાયાં હાં

જીરે સંતો આસુરી માયાને જ્યારે દૈવી જીતેજી
ત્યારે નહીં અભિમાન સ્પર્શાયા હાં

જીરે સંતો કહે રે ભજનપ્રકાશ જે નર જ્ઞાને ગળિયા
અહં મમ માયા નહીં એને ખાયા હાં.

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

Create a free website or blog at WordPress.com.