પુજ્ય સ્વામી શ્રીભજનપ્રકાશાનંદગિરિજી મહારાજ ગિરિ પરંપરામાં નિવૃત્ત જગદગુરુ શંકરાચાર્યજી અને પ્રવર્તમાન મહામંડલેશ્વર સ્વામી શ્રીસત્યમિત્રાનંદગિરિજી મહારાજના સદશિષ્ય છે. તેઓ શ્રી રાણાવાવ, નિર્વાણધામ યોગાશ્રમના સ્થાપક અને નિવાસી સંત છે. સાધનાપથ ઉપર આગળ વધતા વધતા તેમણે નિજાનંદ માટે તથા અન્ય સાધકોને પણ માર્ગદર્શન મળી રહે તે માટે ઘણા બધા ભજનોની રચના કરી છે. અહીં આપ તેમના આ ભજનો માણી શકશો.
સ્વામી શ્રીસત્યમિત્રાનંદગિરિજી