ઉદઘોષણા
આનંદ સાથે વિશ્રામ
મીત્રો, બ્લોગ-જગતમાં મારે જેટલું હાંસલ કરવું હતું તે કરી લીધું છે. હું તૃપ્ત છું – સંતૃપ્ત છું. હવે હું એક અનીશ્ચિત કાળ સુધીનો દિર્ઘ વિશ્રામ લેવા ઈચ્છું છું. આપ સહુ મીત્રો મારા હ્રદયમાં છો અને હું આપ સહુના. વિશ્રામ કાળ દરમ્યાન : ભજનામૃત વાણી તથા મધુવન પર નવી પોસ્ટ મુકવામાં નહીં આવે. ફેસ બુક પર [...]
મારી સખી-કવિતા
મીત્રો, દરેકનું જીવન અનેક ચઢાવ-ઉતાર વાળું હોય છે. મારા જીવનમાં યે ચઢાવ-ઉતાર ઓછા નથી આવ્યાં. છેલ્લાં પંદર વર્ષોમાં મારા જીવનમાં કવિતા જીવન-સંગીની બનીને આવી. તેણે મને શું નથી આપ્યું? આપણે ત્યાં પત્નિની વિભાવના જુદા જુદા કાર્ય દરમ્યાન જુદી જુદી કરવામાં આવી છે. જેમ કે : .. કાર્યેષુ મંત્રી કરણેષુ દાસી ભોજ્યેષુ માતા શયનેષુ રંભા મનોનુકૂલા [...]
શુભ દીપાવલી
મીત્રો, વિક્રમ સંવત ૨૦૬૭ જ્યારે વિદાય લઈ રહ્યું છે અને આ સંવતના છેલ્લા દિવસની પૂર્વ સંધ્યાએ આપ સહુને માટે આ પ્રકાશનો તહેવાર ઉત્સાહ, આનંદ અને સ્વાસ્થ્યપ્રદ રહે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ વર્ષે આપણે ઘણું ઘણું નવું શીખ્યા. એક બાબતને અનેક પ્રકારના દૃષ્ટિકોણથી જોતા શીખ્યા. એક ઘટના કેટલાક લોકો માટે સારી હોય તો તેની તે [...]
મિત્રતાનો દિવસ ?
મિત્રો, ઘણી જગ્યાએ ૩૦ જુલાઈને મિત્રતાના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં અને ઘણાં દેશોમાં ઓગષ્ટ મહીનાના પ્રથમ રવીવારને મિત્રતાના દિવસ તરીકે ઉજવાય છે. શું મિત્રતાનો પણ કોઈ એક દિવસ હોય? ના, મિત્રતા તો આજીવન જીંદગીભર નીભાવવાની અને અનુભવવાની હોય છે. આજના દિવસે હું ફરી વખત ઘોષણા કરું છું કે હું સહુનો મિત્ર છું – [...]
સ્પષ્ટતા – ચોખવટ – ખુલાસો
મિત્રો, બ્લોગિંગ તે મારા શોખનો વિષય છે. અહિં કે મધુવન માં મુકવામાં આવતી પોસ્ટો કોઈને અંગત રીતે સીધી કે આડકતરી રીતે ઉદ્દેશીને લખવામાં નથી આવતી. અહિં માત્ર ને માત્ર અમારાં આનંદ માટે બ્લોગિંગ કરવામાં આવે છે. અહિં કોઈ પણ પ્રકારના સંબધો વિકસાવવા માટે બ્લોગિંગ કરવામાં આવતું નથી. હા – મિત્રો મળે તો આનંદની વાત છે [...]
ઢોલ્કિયાજીનો બ્લોગ
મિત્રો, આપણા બ્લોગ-જગતના ચિંતન અને મનનશીલ વિદ્વાન શ્રી દિપકભાઈ ધોળકીયાથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. આપણે સહુ તેમના વિદ્વતાભર્યા પ્રતિભાવોનો લાભ મેળવી રહ્યાં છીએ. આપણાં સદભાગ્યમાં ઉમેરો કરવા એટલે કે આપણા અજ્ઞાનની દિવાલો તોડવામાં મદદરૂપ થવા માટે તેમણે પોતાનો બ્લોગ શરુ કર્યો છે. wallsofignorance.wordpress.com આપણે સહુએ તેમના અગાધ જ્ઞાનનો લાભ લેવા જેવો છે. મેં તેમને [...]
વેકેશન, વેકેશન, વેકેશન
મિત્રો, શાળામાં અત્યારે વેકેશન ચાલે છે. આ વખતે મારે કેરી ખાવાની નથી તેથી બાળકોને મારા ભાગની કેરી પણ ખાવી પડે છે. હવે કેરીઓ પુરતી ખાઈ લીધી છે અને વેકેશન થોડા વખત પછી પુરુ થઈ જશે તો સ્વાભાવિક છે કે બાળકો અને તેના મમ્મીને પણ ક્યાંક ફરવા જવાની ઈચ્છા થાય. તેથી હવે થોડાં દિવસ અમે વેકેશનમાં [...]
દાંપત્ય જીવનના ૧૪ વર્ષ પૂર્ણ થયાં
આજે અમારા દાંપત્ય જીવનના ૧૪ વર્ષ પૂર્ણ થયા.
૧,૦૦,૦૦૦ થી પણ વધારે વખત “ભજનામૃત વાણી” ને મળેલી ક્લિક બદલ અતીથીઓનો આભાર
મિત્રો, આજે “ભજનામૃત વાણી” એ ૧,૦૦,૦૦૦ થી પણ વધુ ક્લિક પ્રાપ્ત કરેલ છે. તે બદલ સર્વ અતીથીઓનો અંત:કરણ પૂર્વક આભાર માનુ છું. આપનું આગમન.. એ જ મારો ઉત્સાહ… ભલે પધાર્યા.. આપનો અતુલ
૧૧૧૧ રૂ. ના પુરસ્કારના વિજેતા – “રીડ ગુજરાતી”
મિત્રો, સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે ગુજરાતી સાહિત્યની નિ:સ્વાર્થ સેવા કરવા બદલ ૧૧૧૧/- રૂ. નો પુરસ્કાર “રીડ ગુજરાતી” ને આપવામાં આવે છે. રીડ ગુજરાતી ઈસ્વીસન ૨૦૧૧ નો મારો પ્રથમ પ્રતિભાવ નીચે પ્રમાણે છે. તજો વિવાદી, વાદી, સંવાદીને લયમાં સાધી, અલખ, અનાદિ નાદ સધાતાં લાગે સૂર સમાધિ, ધીરે ધીરે ઘટે ‘લલિત’ અવ ખાલી, સમનું અંતર. ……………………………………………. [...]


વાચકો લખે છે.