આધ્યાત્મિક કાર્યક્રમો
ભાવનગરમાં યોજાયો ગુરુ વંદના કાર્યક્રમ – કવિતા જાની
મિત્રો અને સ્વજનો, • તા. ૨૫ જુલાઈ ૨૦૧૦ ના રોજ ગુરુ પુર્ણિમા ના પાવન દિવસે ભાવનગરમાં સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ દરમ્યાન શ્રી યશવંતરાય નાટ્યગૃહમાં ’ગુરુ વંદના’ કાર્યક્રમ યોજાઈ ગયો. • શ્રી નીશીથભાઈ મહેતા સંચાલિત ‘Centre for Excellence’ દ્વારા આયોજીત કાર્યક્રમમાં સહુ પ્રથમ દર્શકોનું સ્વાગત કરતા શ્રી છાંયાબહેને ગુરુનું શું મહત્વ છે તેના વીશે વક્તવ્ય આપેલ. [...]
નિર્વાણધામ યોગાશ્રમ, રાણાવાવમાં સંયમ સાધના શિબિર સંપન્ન થઈ
તા.૨૬.૭.૨૦૧૦ ભાવનગર, પોરબંદર નજીક આવેલ રાણાવાવ ગામે જામનગર રોડ પર આવેલ શ્રી નિર્વાણધામ યોગાશ્રમમાં દર વર્ષની માફક આ વખતે પણ યોજાયેલી ’સંયમ સાધના શિબિર’ સુપેરે સંપન્ન થઈ હતી. પોતાનું પાર્થિવ શરીર છૂટી ગયા બાદ દિવ્ય ચેતના સાથે એકરૂપ થઈ ગયેલ શ્રી નિર્વાણધામ યોગાશ્રમના પાવન સંત શ્રી ભજનપ્રકાશનંદગિરિજી (બાપુજી) દ્વારા તેમના સદશિષ્યા શ્રીપુર્ણાત્માનંદજીની આગ્રહભરી વિનંતિ થી [...]
સ્વામી નિખિલેશ્વરાનંદ અમેરીકાના પ્રવાસે
મિત્રો, શ્રી રામકૃષ્ણ ભાવધારા તથા ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ઉંડી આસ્થા ધરાવનારા લોકો માટે ખુશ ખબર છે. શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ મેમોરીયલ, વડોદરાના પ્રેસીડેન્ટ સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદ ૧૮ જુન ૨૦૧૦ થી ૩ ઓગસ્ટ ૨૦૧૦ સુધી અમેરીકામાં વિવિધ સ્થળોએ ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરશે. પૂજ્ય સ્વામીજીએ અનેક યુવાનોને માર્ગદર્શન આપ્યું છે અને અનેકના જીવનમાં પ્રેરણાસ્ત્રોત બન્યા છે. તેમનું [...]
મીઠું મ્હો
મિત્રો, “મધુવન” મા મંગલગાન થયું. પનીહારીઓ ના “ટહુકા” થી વાતાવરણ દિવ્ય બની ગયું. કોઈ કોઈને ભાવ સમાધી થઈ ગઈ. વાતાવરણમાં એક દિવ્યતા પ્રસરી ગઈ. સર્વ કોઈ મીઠું મ્હો કરીને હરખાતા હરખાતા મનમાં એક અવર્ણનીય આનંદ લઈને છુટા પડ્યા.
શ્રી રામકૃષ્ણ આશ્રમ – રાજકોટ (વર્ષ ૨૦૦૯-૧૦ ના મહોત્સવનું સૂચિપત્ર)
List of Celebrations & Activities for April 2009 – March 2010 (According to Vishuddha Siddhanta Almanac)
Inauguration of Shri Ma Sarada Physiotherapy & Cerebral Palsy Rehabilitation Centre
રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ – ચતુર્થ વાર્ષિકોત્સવ
ધ્યાન અને સદ દર્શન
શ્રી રામદાસ આશ્રમ, ભાવનગરમાં તા.૧૫-૧૧-૨૦૦૮ થી ૮-૧૨-૨૦૦૮ સુધી સ્વામી એકરસાનંદજીના સાનિધ્યમાં રોજ સવારે ૭-૦૦ થી ૮-૦૦ ધ્યાન થશે. રોજ સાંજે ૬-૩૦ થી ૭-૩૦ સદ દર્શન (રમણ મહર્ષિ) ઉપર સ્વામીજી પ્રવચનો આપશે. સર્વ જિજ્ઞાસુઓને પધારવા માટે રામદાસ આશ્રમ તરફથી હાર્દિક આમંત્રણ છે.
|| શ્રીરામકૃષ્ણ પુરાણ – શ્રીરામકૃષ્ણ પુંથિ ||
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૨૨ નવેમ્બર ૨૦૦૮ થી ૩૦ નવેમ્બર ૨૦૦૮ સુધી દરરોજ સાંજે ૭ થી ૯ શ્રીરામકૃષ્ણ પુરાણ (શ્રીરામકૃષ્ણ પુંથિ) વિષય ઉપર કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા શ્રવણનો લાભ લેવા દરેક ભક્તજનોને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ શ્રી સ્વામી ધૃવેશાનંદજી તરફથી નિમંત્રણ આપવામાં આવેલ છે. કથાકારઃ શ્રી નલિનભાઈ કેશવલાલ શાસ્ત્રી, રાજકોટસંગીતકારઃ શ્રી જિતુભાઈ અંતાણી, [...]
આધ્યત્મિક પ્રવચનો – (સ્થળઃ રામદાસ આશ્રમ, ભાવનગર)
(ભાવનગરમાં શ્રી રામદાસ આશ્રમ ખાતે નિત્ય સત્સંગ કાર્યક્ર્મો ચાલતાં રહે છે. સમર્થ જ્ઞાની સંતો અહીં વારાફરતી આવીને ભાવનગરની અધ્યાત્મ-પ્રિય જનતાની જ્ઞાન પિપાસા સંતોષવા માટે હંમેશા કૃપા કરતાં રહે છે. આ આશ્રમના સંચાલિકા શ્રી મોટીબહેનના સતત પુરૂષાર્થથી આ મહાકાર્ય સુપેરે ચાલી રહ્યું છે.) જામનગરના સ્વામિની પૂ.નિજાત્માચૈત્યનજીના આધ્યાત્મિક પ્રવચનોનું શ્રી રામદાસ આશ્રમ, ભાવનગર ખાતે આયોજન કરવામાં આવેલ [...]


વાચકો લખે છે.