ઘમંડી વ્યક્તિને : ક્યારેય નીજના દોષ દેખાતા નથી
ઘમંડી વ્યક્તિને : સ્વયમના ગુણો જ દેખાય છે.
ઘમંડી વ્યક્તિ : ઘણી વખત પોતાના દુર્ગુણોને સદગુણ તરીકે ખપાવે છે.
ઘમંડી વ્યક્તિ : પોતાના પર્વત જેવડા દોષને રાય જેવા સમજે છે અને બીજાના રાય જેટલા દોષોને પર્વત જેવડા કહીને વર્ણવે છે.
ઘમંડી વ્યક્તિ : ક્યારેક બીજાના સદગુણોને દુર્ગુણો તરીકે દર્શાવે છે.
ઘમંડી વ્યક્તિને : કોઈ પણ દલીલમાં સામેની વ્યક્તિ દ્વારા તેની ભુલ કબુલાવી શકાતી નથી.
ઘમંડી વ્યક્તિ : સાથેની ચર્ચાઓ નીરર્થક હોય છે (ચર્ચા તેને કહેવાય કે જ્યાં બંને પક્ષે ખુલ્લા દિલે વાતચીત થતી હોય).
ઘમંડી વ્યક્તિ : સાથે મૌન એક માત્ર ઉપાય હોય તેમ નથી લાગતું?

