સ્વાગત


સર્વેऽત્ર સુખિનઃ સન્તુ |
સર્વે સન્તુ નિરામયાઃ ||
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ |
મા કશ્ચિત દુઃખમાપ્નુયાત ||


સહનાવવતુ |
સહનૌ ભુનક્તુ |
સહવીર્યં કરવા વહૈ |
તેજસ્વિના વધિ તમસ્તુ |
મા વિદ્વિષા વહૈ ||
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ

( ભજનામૃતવાણીમાં આપનું સ્વાગત છે )


માસૂમ હૈયાના સોગંદ ! – હરિશ્ચન્દ્ર


Spiritual Diary (9/2)

Paramhansa Yogananda

February 9
Inner Renunciation

ત્યાગ એ નકારાત્મક નથી, હકારાત્મક છે. દુ:ખ સિવાય કોઈ પણ વસ્તુને છોડી દેવી તે ત્યાગ નથી. ત્યાગ એ ભોગ આપવાનો માર્ગ છે એમ વિચારવું જોઈએ નહીં. વસ્તુત: એ દિવ્ય રોકાણ છે કે જેમાં આત્મસંયમના થોડાં પૈસાનું રોકાણ લાખ્ખો આધ્યાત્મિક રૂપિયામાં ઉપજશે. આપણી દિવસોરૂપી ઝડપથી પસાર થતી સુવર્ણમુદ્રાઓને અમરત્વ ખરીદવા ખર્ચવી એ શું ડહાપણ નથી?

Renunciation is not negative but positive. It isn’t the giving up of anything except misery. One should not think of renunciation as a path of sacrifice. Rather it is a divine investment, by which our few paise of self-discipline will yield a million spiritual rupees. It is not wisdom to spend the golden coins of our fleeting days to purchase Eternity?

Sri Sri Paramahansa Yogananda,
“Sayings of Paramhansa Yogananda”


જાન્યુઆરી મહિનાના બધા જ વિચારો વાંચવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
http://shreesava.files.wordpress.com/2009/12/spiritual-diary-january.pdf


બીકણ સસલી – હરિશ્ચન્દ્ર


Spiritual Diary (7/2)

Paramhansa Yogananda

February 7
Inner Renunciation

જીવનને માણવું એ બરાબર છે, વસ્તુમાં આસક્ત ન થવું તેમાં સુખનું રહસ્ય છે. ફુલની સુગંધ માણો પરંતુ તેમાં પ્રભુને જુઓ. મેં ઈંન્દ્રિયોની ચેતના એટલા માટે રાખી છે કે તેના ઉપયોગ થકી હું પ્રભુ વિશે હંમેશા જાણું અને વિચારું. “તારા સૌંદર્યને સર્વત્ર નીરખવા માટે મારા નેત્રો ને બનાવાયા છે. તારો સર્વવ્યાપક ધ્વની સાંભળવા મારા કાન બનાવાયા છે.” આ જ યોગ છે, પ્રભુ સાથેનું ઐક્ય. તેને ખોળવા માટે જંગલમાં જવું જરૂરી નથી. જ્યાં સુધી આપણે આપણી જાતને સંસારિક ટેવોથી મુક્ત ન કરીએ ત્યાં સુધી તેઓ આપણને જકડી રાખશે. યોગી પોતાની હ્રદયગુફામાં પ્રભુને શોધવાનું શીખે છે, જ્યાં પણ તે જાય છે ત્યાં પોતાની સાથે પ્રભુની વિદ્યમાનતાની પરમાનંદદાયક ચેતનાને સાથે રાખે છે.

It is all right to enjoy life; the secret of happiness is not to become attached to anything. Enjoy the smell of flower, but see God in it. I have kept the consciousness of the senses only that in using them I may always perceive and think of God. “Mine eyes were made to behold Thy beauty everywhere. My ears were made to here Thine omnipresent voice.” That is Yoga, union with God. It is not necessary to go to the forest to find Him. Worldly habits will hold us fast wherever we may be until we free ourselves from them. The yogi learns to find God in the cave of his heart. Wherever he goes, he carries with him the blissful consciousness of God’s presence.

Sri Sri Paramahansa Yogananda,
“Man’s Eternal Quest”


જાન્યુઆરી મહિનાના બધા જ વિચારો વાંચવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
http://shreesava.files.wordpress.com/2009/12/spiritual-diary-january.pdf


માણસાઈ વિષે – કબીરવાણી


*
(૬૧૩) માણસ ખોજત મેં ફિરા, માણસ કા બરા સુકાલ,
પર જાકો દેખે દીલ ઠરે, તાકા પરીયા દુકાલ.
*
(૬૧૪) દયાકા લક્ષણ ભક્તિ, ભક્તિ સે મીલત જ્ઞાન,
જ્ઞાન સે હોવત ધ્યાન, એ સિદ્ધાંત ઉર આન.
*
(૬૧૫) બિષય ત્યાગ વૈરાગ હય, સમતા કહીયે જ્ઞાન,
સુખદાઈ સબ જીવસો, એહી ભક્તિ પ્રમાણ.
*
(૬૧૬) એલમ સે ઉદ્યોગ ખીલે, ખીલે નેકી સે નુર,
એલમ બીન સંસારમેં, સમજ અંધેરો દુર.
*
(૬૧૭) સબળ ખમી નીર્ગર્વ ધની, કોમળ વિદ્યાવંત,
ભુવા ભુષન તીન હય, ઔર સબ અનંત.
*
(૬૧૮) કબીર! ઈન સંસારમેં, પંચ રત્ન હય સાર,
સાધુ મિલન હરિ ભજન, દયા દીન ઉપકાર.
*
(૬૧૯) ધન રહે ન જોબન રહે, ન રહે ગામ ન ઠામ,
કબીર! જગમેં જશ રહે, કે કર દે કીસકો કામ.
*
(૬૨૦) લેનેકો હર નામ હય, દેનેકો અન્ન દાન,
તીરનેકો આધિનતા, બુડનેકો અભિમાન.
*
(૬૨૧) પશુ કી તો પનીયાં ભઈ, નર કા કછુ ન હોય,
પર જો ઉત્તમ કરણી કરે,
તો નર નારાયણ હોય.
*
(૬૨૨) કબીર! મેં માંગું એ માંગના, પ્રભુ મોહે દીજે સોય,
સંત સમાગમ હરિ કથા, હમારે નિશદિન હોય.
*
(૬૨૩) મુગટા જુગત માંગું નહી, ભક્તિ દાન દીજો મોહે,
ઓર કછુ માંગું નહી, નિશ દીન જાચું તોહે.

Spiritual Diary (6/2)

Paramhansa Yogananda

February 6
Inner Renunciation

આળસુ માણસ પ્રભુને કદી શોધી શકે નહીં. નવરૂં મન સેતાનની કાર્યશાળા બને છે. જેઓ કર્મફળની કોઈપણ ઈચ્છા રાખ્યા સિવાય કર્મ કરે છે અને ફક્ત પ્રભુને પામવાની ઈચ્છા રાખીને જીવે છે તેઓ સાચા ત્યાગી છે.

A lazy person never finds God. An idle mind becomes the worship of the devil. But person who work for a living without any wish for the fruits of action, desiring God alone, are true renunciant.

Sri Sri Paramahansa Yogananda,
“Sayings of Paramhansa Yogananda”


જાન્યુઆરી મહિનાના બધા જ વિચારો વાંચવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
http://shreesava.files.wordpress.com/2009/12/spiritual-diary-january.pdf


Spiritual Diary (2/5)

Paramhansa Yogananda

February 5
Inner Renunciation

હ્રદયથી દરેક વસ્તુનો ત્યાગ કરો અને અનુભવો કે તમે ફક્ત જટિલ બ્રહ્માંડિય સિનેમામાં ભાગ ભજવો છો. જે પાઠ વહેલો મોડો પુરો થવાનો જ છે. અને પછી તમે તેને સ્વપ્નાની જેમ ભૂલી જશો. આપણું વાતાવરણ આપણામાં આપણી વર્તમાન ભૂમિકાની ભ્રામક અગત્યતા અને આપણી હાલની કસોટીઓની ભ્રમણા ઉત્પન્ન કરે છે. આવી સાંસારિક ચેતનાથી ઉપર ઉઠો. તમારા અંતરમાં ઈશ્વરનો એવો અનુભવ કરો કે તમારા જીવનમાં ફક્ત તેનો જ પ્રભાવ બની રહે.

At heart renounce everything, and realize that you are just playing a part in the intricate Cosmic Movie, a part that sooner or later must be over. You will then forget it as a dream. Our environment produces the delusion in us of the seeming importance of our present roles and our present tests. Rise above that temporal consciousness. So realize God within that He becomes the only influence in your life.

Sri Sri Paramahansa Yogananda,
“Rajarshi Janakananda: Great Western Yogi”


જાન્યુઆરી મહિનાના બધા જ વિચારો વાંચવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
http://shreesava.files.wordpress.com/2009/12/spiritual-diary-january.pdf


દાન વિષે – કબીરવાણી


*
(૫૯૯) કહે કબીર કમાલકો, દો બાતાં શીખ લે,
કર સાહેબ કી બંદગી, ઓર ભુખે કો કછુ દે.
*
(૬૦૦) હાડ બઢા હરિ ભજન કર, દ્રવ્ય બઢા કછુ દેય,
અક્કલ બઢી ઉપકાર કર, જીવનકા ફળ યેહ.
*
(૬૦૧) ગાંઠી હોય સો હાથ પર, હાથ હોય સો દે,
આગે હાડ ન બાનિયા, લેના હોય સો લે.
*
(૬૦૨) ખાય પી ખીલાય દે, કરલે અપનાં કામ,
ચલતી વખત રે નરો, સંગ ન ચલે બદામ.
*
(૬૦૩) ધર્મ કીયે ધન ના ઘટે, નદી ન સંચે નીર,
અપની આંખે દેખીયે, યું કહે દાસ કબીર.
*
(૬૦૪) ભીખ તીન પ્રકાર કી, સુનો સંત ચિત્ત લાય,
દાસ કબીર પ્રગટ કહે, ભીન્ન ભીન્ન અર્થાય.
*
(૬૦૫) અણ માગ્યા ઉત્તમ કહીયે, મધ્યમ માગી જો લેય,
કહે કબીર કનીષ્ટ સો, પર ઘર ધરના દેય.
*
(૬૦૬) માંગન મરણ સમાન હય, મત કોઈ માંગો ભીખ,
માંગને સે મરના ભલા, એહી સદગુરૂ કી શીખ.
*
(૬૦૭) મરૂં પણ માંગું નહી, અપને તનકે કાજ,
પરમારથ કે કારણે, માગન ન આવે લાજ.
*
(૬૦૮) સહેજ દીયા સો દુધ બરાબર, માંગ લીયા સો પાની,
ખીંચ લીયા સો રક્ત બરાબર, એહી કબીરા બાની.
*
(૬૦૯) ભુખેકો કછુ દીજીયે, યથા શક્તિ જો હોય,
તા ઉપર શીતલ વચન, લખો આત્મા સોય.
*
(૬૧૦) જહાં દયા વહાં ધર્મ, જહાં લોભ વહાં પાપ,
જહાં ક્રોધ વહાં કાળ, જહાં ક્ષમા વહાં આપ.
*
(૬૧૧) કુંજર મુખસે કન ગીરો, ખુટો ન વા કો આહાર,
કીડી કન લે ચલી, પોષણ દેઈ પરિવાર.
*
(૬૧૨) દાતા દાતા ચલ ગયે, રહ ગયે મખ્ખીચુર,
દાન માન સમજે નહી, લડને મેં મજબુર.

Spiritual Diary (4/2)

Paramhansa Yogananda

February 4
Inner Renunciation

વૈરાગ્ય એ નિષ્પત્તિ નથી, એ નિષ્પત્તિનું સાધન છે. સાચો ત્યાગી એ છે કે જે તેના બાહ્ય જીવનની રીતભાત તરફ લક્ષ્ય આપ્યા સિવાય ફક્ત પ્રભુ માટે જીવે છે. પ્રભુને પ્રેમ કરવો અને તેને પ્રસન્ન કરવા જીવવું – તે જ વસ્તુ મહત્વની છે. જ્યારે તમે તે પ્રમાણે કરશો ત્યારે તમો પ્રભુને જાણશો.

Renunciation is not an end, it is the means to an end. The real renunciant is he who lives for God first, regardless of his outer mode of existence. To love God and conduct your life to please Him – that is what matters. When you will do that, you will know the Lord.

Sri Sri Paramhansa Yogananda
“Man’s Eternal Quest”


જાન્યુઆરી મહિનાના બધા જ વિચારો વાંચવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
http://shreesava.files.wordpress.com/2009/12/spiritual-diary-january.pdf


સાધુ બાવાઓ સાથે જન સમાજનો અમાનવીય વ્યવહાર – આગંતુક

જન સમાજમાં ઘણાં પ્રકારના લોકો હોય છે. તેમાંથી કોઈ કોઈ વ્યક્તિ વધુ ઉચ્ચ ધ્યેય અથવા તો કશીક દિવ્ય અનુભુતિની પ્રાપ્તિ માટે જીવનની ચીલાચાલુ ઘરેડને તોડી, પોતાની જાતને સમજવા માટે વધારે ઉંડા ઉતરીને સામાન્ય કર્તવ્યનો ત્યાગ કરી, પોતાની જાતને જાણવાનો તથા આ સમષ્ટીના ચાલક સાથે એક્તા અનુભવવાનો પ્રયત્ન કરે છે. આવા લોકો પોતે કોઈ અલગ ધ્યેય માટે જઈ રહ્યા છે તેવું દર્શાવવા જુદા પ્રકારના વસ્ત્રો ધારણ કરે છે અને જુદો બાહ્ય વેશ અપનાવે છે જેથી જન સમાજ સમજી શકે કે તેમનું ધ્યેય આપણી જેમ ભૌતિક જગતની સિદ્ધિ નથી પણ કશીક આંતરખોજ માટે તે પ્રયત્નશીલ છે.

હવે આ પ્રકારની સાધનાઓ કરનારાઓમાં જેઓ પોતાની સાધના અને લક્ષ્ય પ્રત્યે ગંભીર હોય છે તેમને આંતરજગતના ઘણાં બધા સત્યો સમજાય છે કે જે માનવના આંતરિક દુ:ખોને દુર કરવા માટે ઉપયોગી હોય છે. સમયાનુસાર આ પ્રકારના લોકો જન સમુહને આ સત્યો પોતાની ભાષામાં સમજાવવા માટે પ્રયત્ન કરે છે અને તેનાથી ઘણાં લોકોને જીવનના પરિતાપમાંથી છૂટીને આંતરિક શાંતિ પ્રાપ્ત કરવાનો અવસર મળે છે. આવી આંતરિક શાંતિ પ્રાપ્ત કરનાર મનુષ્યો પોતાની કૃતજ્ઞતા દર્શાવવા માટે આવા મહાનુભાવોની અર્ચના વંદના કરવાનું શરુ કરી દે છે. તેમને જોઈને બીજા લોકો પણ દેખાદેખીથી તેમની પૂજા અર્ચના શરુ કરે છે. આવા માનપાન બહારથી મેળવતા અને કશું કામ કરતા ન દેખાતા લોકોને જોઈને બીજા કેટલાક લોકો દંભ કરીને પોતાના વસ્ત્રો અને વેશ આવા મહાનુભાવો જેવો કરીને લોકોને મુર્ખ બનાવવાનું અને માનપાન મેળવવાનું શરુ કરે છે. પરીણામે માત્ર બાહ્ય વેશ અને વસ્ત્રોથી અંજાનારા તેમની પાસે જઈને મુર્ખા બને છે. આવા ઢોંગી – ધુતારાઓને હાથે છેતરાયા પછી તે સાચા વાસ્તવિક અનુભુતિ પ્રાપ્ત લોકો પાસે જવાનું પણ બંધ કરે છે અને પરીણામે યથાર્થ જ્ઞાન મેળવવા માટે યોગ્ય માર્ગદર્શનથી વંચિત રહે છે.

મુળ વાત તે છે કે દંભી બાવા હોય કે સંયમી સાધુ પણ તેની સાથે સામાન્ય જન સમાજનો વ્યવહાર અમાનવીય હોય છે. શ્રદ્ધાળું લોકો આ સાધુ બાવાઓના પગમાં પડી પડીને તેમના ચરણોમાં ગલગલીયા કરતાં રહે છે અને તેમને જી બાપજી, જી બાપજી કરતાં રહે છે પણ તેઓ શું કહે છે તે કશું સમજતા નથી. તેવી જ રીતે બાવાઓથી છેતરાતા લોકો બધા જ સાધુ બાવાઓને ધૂત્કારે છે અને તેમને મન ફાવે તેવા વચનો કહે છે. આ બંને પ્રકારના વર્તનો અમાનવીય છે. કોઈ પણ મનુષ્યને મનુષ્યોચિત્ત સન્માન આપવું જોઈએ પણ તેને વધુ પડતો ઉંચો કે વધુ પડતો હીન સમજી લઈને વધુ પડતા માન પાન આપવાની કે ધૄણાજનક અશોભનીય વ્યવહાર કરવાની આવશ્યકતા નથી. જો જન સમાજ આ બાબત ઉપર વિચાર કરે અને પ્રત્યેક મનુષ્યને તેના બાહ્ય વેશ પરિધાનથી નહીં પણ આંતરિક ગુણોથી ઓળખવાનો પ્રયત્ન કરે અને તે પ્રમાણે તેની સાથે મનુષ્યોચિત્ત યથાયોગ્ય વ્યવહાર કરે તો માનવ માનવ વચ્ચે યોગ્ય સંવાદિતા જળવાઈ રહે અને ઘણી ભ્રાંત ઘરેડમાંથી બહાર આવી શકે. ટૂંકમાં સાધુ બાવાઓ પણ આપણી જેમ સામાન્ય માનવી જ છે તેથી તેમને એક વિચિત્ર પ્રાણી કે કોઈ દેવ પુરુષ માની લેવાને બદલે સામાન્ય વ્યવહાર કરીને તેમની સાથે યોગ્ય સંવાદિતા જાળવી શકીએ.