સ્વસ્થતા
સ્વાગત
ૐ
સર્વેऽત્ર સુખિનઃ સન્તુ |
સર્વે સન્તુ નિરામયાઃ ||
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ |
મા કશ્ચિત દુઃખમાપ્નુયાત ||
ૐ
સહનાવવતુ |
સહનૌ ભુનક્તુ |
સહવીર્યં કરવા વહૈ |
તેજસ્વિના વધિ તમસ્તુ |
મા વિદ્વિષા વહૈ ||
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
( ભજનામૃતવાણીમાં આપનું સ્વાગત છે )
ગામઠી જ્ઞાન માળા વાંચવા અહીં ક્લિક કરશો…
સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૫)
સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૪. ધણીપણું
આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.
આ પ્રકરણના થોડા અંશો :
વિવાહ થયા એ દિવસોમાં નિબંધોનાં નાનાં ચોપાનિયાં – પૈસાનાં કે પાઇનાં એ તો યાદ નથી – નીકળતાં. એમાં દંપતીપ્રેમ, કરકસર, બાળલગ્ન વગેરે વિષયો ચર્ચવામાં આવતા. આમાંના કોઇ નિબંધ મારા હાથમાં આવતા ને તે હું વાંચી જતો. એ તો ટેવ હતી જ કે વાંચવું તે પસંદ ન પડે તો ભૂલી જવું. ને પસંદ પડે તો તેનો અમલ કરવો. એકપત્નીવ્રત પાળવું એ પતિનો ધર્મ છે એમ વાંચેલું, એ હ્રદયમાં રમી રહ્યું. સત્યનો શોખ તો હતો જ. એટલે પત્નીને છેતરાય તો નહીં જ. એથીયે બીજી સ્ત્રી સાથે સંબંધ ન થાય એ પણ સમજાયું હતું. નાનકડી ઉંમરે એકપત્નીવ્રતનો ભંગ થવાનો સંભવ બહુ થોડો જ હોય.
પણ આ સદ્વિચારોનું એક માઠું પરિણામ આવ્યું. જો મારે એકપત્નીવ્રત પાળવું જોઇએ તો પત્નીને એકપતિવ્રત પાળવું જોઇએ. આ વિચારથી હું અદેખો ધણી બન્યો. ‘પાળવું જોઇએ’માંથી ‘પળાવવું જોઇએ’ એ વિચાર ઉપર આવ્યો. અને જો પળાવવું જોઇએ તો મારે ચોકી રાખવી જોઇએ. મને કાંઇ પત્નીની પવિત્રતા વિશે શંકા લાવવાનું કારણ નહોતું. પણ અદેખાઇ કારણ જોવા કયાં બેસે છે ? મારી સ્ત્રી હંમેશા કયાં જાય છે એ મારે જાણવું જ જોઇએ, તેથી મારી રજા વિના કયાંયે જવાય જ નહીં. આ વસ્તુ અમારી વચ્ચે દુઃખદ ઝઘડાનું મૂળ થઇ પડી. રજા વિના કયાંયે ન જવાય એ તો એક જાતની કેદ જ થઇ.
મારે કહેવું જોઇએ કે હું મારી સ્ત્રી પરત્વે વિષયાસકત હતો. નિશાળમાંયે તેના વિચાર આવે, રાત્રી કયારે પડે અને કયારે અમે મળીએ એ વિચાર રહ્યા જ કરે. વિયોગ અસહ્ય હતો. મારી કેટલીક કાલીઘેલી વાતોથી હું કસ્તુરબાઇને જગાડયા જ કરુ. આ આસકિતની જ સાથે જો મારામાં કર્તવ્યપરાયણતા ન હોત તો રોગથી પીડાઇ મૃત્યુને વશ થયો હોત, અથવા આ જગતમાં વૃથા જીવી રહ્યો હોત, એમ મને ભાસે છે.
જો મારો પ્રેમ વિષયથી દૂષિત ન હોત તો આજે તે વિદૂષી સ્ત્રી હોત એવી મારી માન્યતા છે. તેના ભણવાના આળસને હું જીતી શકત. શુદ્ધ પ્રેમને કંઇ જ અશકય નથી એમ હું જાણું છું
સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૪)
સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૩. બાળવિવાહ
આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.
આ પ્રકરણના થોડા અંશો :
આ પ્રકરણ મારે ન લખવું પડે એમ હું ઇચ્છું છું. પણ આ કથામાં મારે એવા કેટલાયે કડવા ઘૂંટડા પીવા પડશે. સત્યના પૂજારી હોવાનો દાવો કરીને મારાથી બીજું થાય તેમ નથી.
૧૩ વર્ષની ઉંમરે મારા વિવાહ થયા તેની નોંધ લેતાં અકળામણ થાય છે. આજે મારી નજર આગળ બારતેર વર્ષનાં બાળકો પડયાં છે તેમને જોઉં છું ને મારા વિવાહનું સ્મરણ કરું છું ત્યારે મને મારા ઉપર દયા છૂટે છે, અને બાળકોને મારી સ્થિતિમાંથી બચ્યાને સારુ મુબારકબાદી આપવાની ઇચ્છા થાય છે. તેર વર્ષે થયેલા મારા વિવાહના સમર્થનમાં એક પણ નૈતિક દલીલ મને નથી સૂઝી શકતી.
હિંદુ સંસારમાં વિવાહ જેવી તેવી વસ્તુ નથી. વરકન્યાનાં માબાપો વિવાહની પાછળ ખુવાર થાય છે, ધન લૂંટાવે છે અને વખત લૂંટાવે છે. મહિનાઓ અગાઉથી તૈયારીઓ થાય. કપડાં બને, નાતો જમાડવાના અડસટ્ટા નીકળે, ભોજનની વાનગીઓની હરીફાઇ થાય. બૈરાંઓ, સૂર હોય કે ન હોય તોપણ, ગાણાં ગાઇ ગાઇ પોતાના સાદ ખોખરા કરી મૂકે, માંદા પણ પડે, પાડોશીની શાંતિમાં ભંગાણ પાડે. પાડોશી બિચારા પોતે પણ પોતાને ત્યાં અવસર આવે ત્યારે એવું જ કરવાના હોય એટલે ઘોંઘાટ, એઠવાડ, બીજી ગંદકીઓ, બધું ઉદાસીન ભાવે સહન કરે.
પિતૃભકત તો ખરો જ. પણ વિષયભકત પણ એવો જ ના ? અહીં વિષયનો અર્થ એક ઇન્દ્રિયનો વિષય ન કરાય પણ ભોગોમાત્ર. માતાપિતાની ભકિત પાછળ સર્વ સુખનો ત્યાગ કરવો જોઇએ એ ભાન હવે પછી આવવાનું હતું. આમ છતાં કેમ જાણે મારે આ ભોગેચ્છાની શીક્ષા જ ભોગવવાની હોય નહીં, તેવી રીતે મારી જિંદગીમાં એક અવળો પ્રસંગ બન્યો, જે મને આજ લગી સાલે છે. જયારે નિષ્કુળાનંદનું
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના,
કરીએ કોટિ ઉપાયજી
ગાઉં છું અથવા સાંભળું છું ત્યારે ત્યારે એ અવળો અને કડવો પ્રસંગ મને યાદ આવે છે ને શરમાવે છે.
જયાં સંસ્કાર બળવાન છે ત્યાં શિખામણ બધી મિથ્યા વધારો થઇ પડે છે.
સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૩)
સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૨. બચપણ
આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ એક અવતરણ ટાંકવું કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવું પડે.
આ પ્રકરણમાંથી લીધેલ એક ફકરો :
આ જ અરસામાં કોઇ નાટક કંપની આવેલ તેનું નાટક જોવાની મને રજા મળી. હરિશ્ર્ચંદ્રનું આખ્યાન હતું. એ નાટક જોતો હું થાકું જ નહીં. એ ફરી ફરી જોવાનું મન થાય. એમ વારંવાર જવા તો કોણ જ દે ? પણ મારા મનમાં મેં એ નાટક સેકડો વખત ભજવ્યું હશે. હરિશ્ર્ચંદ્રનાં સ્વપ્નાં આવે. ‘હરિશ્ર્ચંદ્રના જેવા સત્યવાદી બધાં કાં ન થાય ? ’ એ ધૂન ચાલી. હરિશ્ર્ચંદ્રની ઉપર પડેલી તેવી વિપત્તીઓ ભોગવવી ને સત્યનું પાલન કરવું એ જ ખરું સત્ય. જેવી નાટકમાં લખેલી તેવી જ વિપદો હરિશ્ર્ચંદ્રને પડી હશે એમ મેં તો માની લીધેલું. હરિશ્ર્ચંદ્રનાં દુઃખ જોઇ, તેનું સ્મરણ કરી હું ખૂબ રોયો છું. આજે મારી બુદ્ધિ સમજે છે કે હરિશ્ર્ચંદ્ર કોઇ ઐતિહાસિક વ્યકિત નહીં હોય. છતાં મારે મન હરિશ્ર્ચંદ્ર અને શ્રવણ આજે પણ જીવતા છે. હું આજે એ નાટકો વાંચુ તો આજે પણ મને આંસુ આવે એમ માનું છું.
સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૨)
સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૧. જન્મ
આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ એક અવતરણ ટાંકવું કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવું પડે.
આ પ્રકરણમાંથી લીધેલા બે ફકરાઓ :
પિતાની કેળવણી કેવળ અનુભવની હતી. જેને આજે આપણે ગુજરાતી પાંચ ચોપડીનું જ્ઞાન ગણીએ તેટલી કેળવણી તે પામેલ હશે. ઇતિહાસભૂગોળનું જ્ઞાન તો મુદ્દલ ન મળે. આમ છતાં વ્યવહારુ જ્ઞાન એવા ઊંચા પ્રકારનું હતું કે ઝીણામાં ઝીણા પ્રશ્ર્નોના ઉકેલ કરવામાં કે હજાર માણસોની પાસે કામ લેવામાં તેમને મુશ્કેલી ન આવતી. ધાર્મિક કેળવણી નહીં જેવી હતી, પણ મંદિરોમાં જવાથી કથા વગેરે સાંભળીને જે ધર્મજ્ઞાન અસંખ્ય હિંદુઓને સહેજે મળી રહે છે તે તેમને હતું. છેવટના વર્ષમાં એક વિદ્ધાન બ્રાહ્મણ જેઓ કુટુંબના મિત્ર હતા તેમની સલાહથી તેમણે ગીતાપાઠ શરૂ કર્યો હતો અને રોજ થોડાઘણા શ્ર્લોકો પોતાના પૂજાના સમયે ઊંચે સ્વરે પાઠ કરી જતા.
માતા સાધ્વી સ્ત્રી હતી એવી મારા ઉપર છાપ રહેલી છે. તુ બહુ ભાવિક હતી. પૂજાપાઠ વિના કદી ન જમે. હવેલીએ હંમેશા જાય. હું સમજણો થયો ત્યારથી તેણે કદી ચાતુર્માસ છોડયા હોય એવું મને સ્મરણ નથી. કઠણમાં કઠણ વ્રત તે આદરતી અને નિર્વિધ્ને પૂરાં કરતી. લીધેલાં વ્રત માંદી પડે તોપણ ન જ છોડે. એવો એક સમય મને યાદ છે કે જયારે તેણે ચાંદ્રાયણ વ્રત લીધેલું, તેમાં માંદી પડેલી પણ વ્રતને ન છોડેલું. ચાતુર્માસમાં એક ટાણાં કરવાં એ તો તેને સામાન્ય વાત હતી. એટલેથી સંતોષ ન વાળતાં એક ચાતુર્માસમાં તેણે ધારણાંપારણાં કરેલાં. બેત્રણ સામટા ઉપવાસ એ એને મન નજીવી વાત હતી. એક ચાતુર્માસમાં તેનું એવું વ્રત હતું કે સૂર્યનારાયણનાં દર્શન કર્યા પછી જ જમાય. આ ચોમાસે અને છોકરા વાદળ સામું જોઇ રહીએ કે કયારે સૂર્ય દેખાય ને કયારે મા જમે. ચોમાસામાં ઘણી વેળા દર્શન દોહ્યલાં થાય એ તો સહુ જાણે છે. એવા દિવસો યાદ છે કે જયારે સૂર્યને અમે જોઇએ, ‘બા, બા, સૂરજ દેખાયો’ કહીએ ને બા ઉતાવળી ઉતાવળી આવે ત્યાં તો સૂરજ ભાગી જાય. ‘કંઇ નહીં, આજે નસીબમાં ખાવાનું નહીં હોય’ કહી પાછી જાય ને પોતાના કામમાં ગૂંથાઇ જાય.
સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧)
સત્યના પ્રયોગો અથવા આત્મકથા/પ્રસ્તાવના
આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ એક અવતરણ ટાંકવું કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવું પડે.
આજનું અવતરણ :
“હું તો પગલે પગલે જે જે વસ્તુઓને જોઉં તેના ત્યાજ્ય અને ગ્રાહ્ય એવા બે ભાગ પાડી લઉં અને જેને ગ્રાહ્ય વસ્તુ સમજું તે પ્રમાણે મારા આચારોને ઘડું. અને જ્યાં લગી એ પ્રમાણે ઘડાયેલા આચાર મને, એટલે મારી બુદ્ધિને અને આત્માને, સંતોષ આપે ત્યાં લગી મારે તેનાં શુભ પરિણામો વિષે અચલિત વિશ્વાસ રાખવો જ જોઈએ.”
ધાડપાડુએ ભરી અદાલતમાં તેની માનું નાક કરડી ખાધું
ભરી અદાલતમાં એક વૃદ્ધા બુમો પાડી રહી હતી, બચાવો બચાવો. એક આરોપીએ તે વૃદ્ધાનું નાક કરડી ખાધુ હતુ અને વૃદ્ધા તેનાથી જાન છોડાવવા માટે મદદની ચીસો પાડી રહી હતી. મહા મહેનતે સુરક્ષાકર્મીઓએ તે વૃદ્ધાને પેલા નરપીશાચના હાથમાંથી છોડાવી.
ઘટના એવી બની હતી કે ચોરી, લુંટફાંટ, બેંકની ધાડ અને ધાડ પાડતી વખતે પકડાઈ ન જવાય તે માટે કરાયેલી હત્યાના અનેક ગુન્હાઓ સબબ એક કુખ્યાત ધાડપાડુના આરોપો સાબિત થઈ ચૂક્યાં હતા અને તેના પાશવી ગુન્હાઓ માટે વિરોધી વકીલે મૃત્યુદંડની સજાની માંગણી કરી હતી. અનેક દલીલો અને પુરાવાઓના અધારે ન્યાયાધીશે તે માંગણી માન્ય રાખી અને તેને ફાંસીની સજાનો હુકમ કર્યો હતો.
અદાલતે તેને પુછ્યું હતું કે તારે કાઈ કહેવું છે? તેણે કહ્યું કે હા, મારી મા ને મારી સમક્ષ હાજર કરો, હું તેને એક વખત મળવા માંગુ છું. અદાલતે તેની મા ને તેને મળવાની અમુમતિ આપી. જેવી તેની મા તેને મળવા ગઈ કે તરત જ આ દુષ્ટે તેની માનું નાક કરડી ખાધું. લોહીલુહાણ વૃદ્ધા સુરક્ષા કર્મીની મદદથી મહા મહેનતે તેનાથી જાન બચાવી શકી.
અદાલતે તેને પુછ્યું કે હે દૂષ્ટ તારા અનેક ગુન્હાઓ તો તને તું નરપીશાચ હોવાનું ઠરાવે જ છે પણ તારા આ અત્યારના કૃત્યે તો લાજ અને શરમની બધી જ હદ વળોટી નાખી છે.
થોડી વાર માટે પેલો પાશવી ગુન્હેગાર અતીતમાં સરી ગયો. ધીરેથી તેણે તેનું બયાન શરુ કર્યું. નાનપણમાં અમે ઘણાં ગરીબ હતાં. હું શાળામાં જતો પણ ફી ભરવાનાયે મારી પાસે પૈસા નહોતા રહેતા. હું ધીરે ધીરે અન્ય વિદ્યાર્થીઓના કંપાસમાંથી પેન્સીલ અને રબ્બર ચોરવા લાગ્યો. ત્યાર બાદ પાઠ્યપુસ્તકો અને નોટબુકોની ઉઠાંતરી કરવી તે મારે માટે રમત વાત બની ગઈ હતી. જ્યારે જ્યારે હું ચોરી કરીને વસ્તુ ઘરે લાવીને મારી માને બતાવતો ત્યારે તે હરખાતી અને કહેતી કે શાબાશ બેટા. ધીરે ધીરે હું પૈસા અને મોટી ચીજ વસ્તુઓ ચોરવા લાગ્યો. જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ મારી ચોરી કરવાની ફાવટ અને અન્ય લોકોની કીંમતી વસ્તુ પડાવી લેવાની લાલચ વધતી ગઈ. છેવટે આ છેલ્લી બેંક ધાડમાં મારા હાથે લૂંટ ઉપરાંત હત્યા પણ થઈ અને તેના પરીણામે હું ફાંસીની સજા પામ્યો.
જે દિવસે મેં પહેલ વહેલી ચોરી કરી તે જ દિવસે જો મારી માએ મને એક તમાચો ઝીંકી દીધો હોત તો હું ગરીબ હોવા છતાએ પ્રમાણીકતાથી મહેનત કરીને કમાતા શીખ્યો હોત. તો આજે મારી આ હાલત ન થઈ હોત. આપ નામદારની કોર્ટમાં હું કહેવા માંગુ છું કે આવી કુમાતાઓ કરતાં ધન્ય છે તેવી માતાઓને કે જે તેમના દિકરા દિકરીઓ સગવડથી વંચિત રહે તો ભલે પણ તેમની અંદર કુટેવો અને દુર્ગુણોનો પ્રવેશ કરવા નથી દેતી.
જુની કહેવત : રોગ અને શત્રુને ઉગતાં ડામો
નવી કહેવત : દુર્ગુણો અને કુટેવોને ઉગતી ડામો
છિદ્રેષુ અનર્થા બહુલીભવન્તિ ||
ચોર અને શાહુકાર – LOL
એક ચોરને તેના મિત્રએ પુછ્યું કે અલ્યાં તારી અને શાહુકાર વચ્ચે શું ફરક છે?
ચોર કહે યાર, એમાં એવું છે ને કે ચોર તો આપણે બધા છીએ પણ હું પક્ડાઈ જાઉ છું અને જે ચોરી કરવા છતા પકડાયા નથી તે શાહુકાર તરીકે ઓળખાય છે.
એટલે તું શું એમ કહેવા માંગે છે કે શાહુકારો, પ્રતિષ્ઠા પામેલા, મહેનતથી આગળ વધેલા બધાએ ચોર છે?
હા દોસ્ત,
જેમણે આપબળે મહેનત કરીને યોગ્ય પુરુષાર્થ દ્વારા સંપત્તિ મેળવી હોય તેમના સીવાયના બીજા બધા ચોર છે. આપણો જન્મ થયો ત્યારથી આજ સુધી આપણે માતા-પિતા પાસેથી, સમાજ પાસેથી, પ્રકૃતિ પાસેથી સતત કશું ને કશું મેળવતા આવ્યાં છીએ. આપણી શક્તિ, બુદ્ધિ અને સંપત્તિના વિકાસમાં આજુબાજુની વ્યક્તિઓ, પૂર્વજોએ મેળવેલા જ્ઞાન અને ડહાપણ તથા કુદરતનો મોટો ફાળો છે. વળી આ કુદરતને નીયમનમાં રાખનાર અને તેને આપણને જીવવા યોગ્ય બનાવનાર સૃષ્ટી નીયામક કે જેને આપણે પુરી રીતે તો શું પણ અલ્પ રીતે ય જાણતાં નથી તેનોયે મોટો ફાળો છે.
આ સઘળી વ્યક્તિઓ, સમાજ, કુદરત અને સૃષ્ટી કર્તા પ્રત્યેનું ઋણ અદા કર્યા વગરના જેટલાએ લોકો છે તે પછી ચોર તરીકે ઓળખાતા હોય કે શાહુકાર તરીકે શાખ પામ્યાં હોય પણ છે તો ચોર જ..
જો ભાઈ ભગવદ ગીતા કહે છે કે :
( यज्ञादि कर्मों की आवश्यकता का निरूपण )
यज्ञार्थात्कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबंधनः ।
तदर्थं कर्म कौन्तेय मुक्तसंगः समाचर ॥
भावार्थ : यज्ञ के निमित्त किए जाने वाले कर्मों से अतिरिक्त दूसरे कर्मों में लगा हुआ ही यह मुनष्य समुदाय कर्मों से बँधता है। इसलिए हे अर्जुन! तू आसक्ति से रहित होकर उस यज्ञ के निमित्त ही भलीभाँति कर्तव्य कर्म कर ॥9॥
सहयज्ञाः प्रजाः सृष्टा पुरोवाचप्रजापतिः ।
अनेन प्रसविष्यध्वमेष वोऽस्त्विष्टकामधुक् ॥
भावार्थ : प्रजापति ब्रह्मा ने कल्प के आदि में यज्ञ सहित प्रजाओं को रचकर उनसे कहा कि तुम लोग इस यज्ञ द्वारा वृद्धि को प्राप्त होओ और यह यज्ञ तुम लोगों को इच्छित भोग प्रदान करने वाला हो ॥10॥
देवान्भावयतानेन ते देवा भावयन्तु वः ।
परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ ॥
भावार्थ : तुम लोग इस यज्ञ द्वारा देवताओं को उन्नत करो और वे देवता तुम लोगों को उन्नत करें। इस प्रकार निःस्वार्थ भाव से एक-दूसरे को उन्नत करते हुए तुम लोग परम कल्याण को प्राप्त हो जाओगे ॥11॥
इष्टान्भोगान्हि वो देवा दास्यन्ते यज्ञभाविताः ।
तैर्दत्तानप्रदायैभ्यो यो भुंक्ते स्तेन एव सः ॥
भावार्थ : यज्ञ द्वारा बढ़ाए हुए देवता तुम लोगों को बिना माँगे ही इच्छित भोग निश्चय ही देते रहेंगे। इस प्रकार उन देवताओं द्वारा दिए हुए भोगों को जो पुरुष उनको बिना दिए स्वयं भोगता है, वह चोर ही है ॥12॥
यज्ञशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः ।
भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात् ॥
भावार्थ : यज्ञ से बचे हुए अन्न को खाने वाले श्रेष्ठ पुरुष सब पापों से मुक्त हो जाते हैं और जो पापी लोग अपना शरीर-पोषण करने के लिए ही अन्न पकाते हैं, वे तो पाप को ही खाते हैं ॥13॥
अन्नाद्भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भवः ।
यज्ञाद्भवति पर्जन्यो यज्ञः कर्मसमुद्भवः ॥
कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवम् ।
तस्मात्सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम् ॥
भावार्थ : सम्पूर्ण प्राणी अन्न से उत्पन्न होते हैं, अन्न की उत्पत्ति वृष्टि से होती है, वृष्टि यज्ञ से होती है और यज्ञ विहित कर्मों से उत्पन्न होने वाला है। कर्मसमुदाय को तू वेद से उत्पन्न और वेद को अविनाशी परमात्मा से उत्पन्न हुआ जान। इससे सिद्ध होता है कि सर्वव्यापी परम अक्षर परमात्मा सदा ही यज्ञ में प्रतिष्ठित है ॥14-15॥
एवं प्रवर्तितं चक्रं नानुवर्तयतीह यः ।
अघायुरिन्द्रियारामो मोघं पार्थ स जीवति ॥
भावार्थ : हे पार्थ! जो पुरुष इस लोक में इस प्रकार परम्परा से प्रचलित सृष्टिचक्र के अनुकूल नहीं बरतता अर्थात अपने कर्तव्य का पालन नहीं करता, वह इन्द्रियों द्वारा भोगों में रमण करने वाला पापायु पुरुष व्यर्थ ही जीता है ॥16॥
હવે તને સમજાયું ને કે હું તો માત્ર ચોરીનું નાટક કરું છું પણ આ સમાજને ફોલી ખાનારા પેલા નરાધમો કોણ છે?
આપણાં દુષ્ટ અને ભ્રષ્ટ રાજકારણીઓ, મોટા મોટા મંદીરોમાં લુંટ ચલાવનારા ગાદીપતીઓ, સત્તા હાથમાં આવતા પ્રજાકલ્યાણના કાર્યો કરવાને બદલે પ્રજાને લુંટતા સત્તાધીશો, ભેળસેળ અને છેતરપીંડી કરનારા વેપારીઓ આ બધા તેમના કર્તવ્યથી ચ્યુત થઈને ભલે અઢળક સંપત્તિના ઢગલા પર બેઠા હોય પણ છે તો ચોર, ચોર અને ચોર…
હા હો તારી વાત તો સાચી. ખરેખર તો આ માંધાતાઓ જ મોટા ચોર છે કે જેને આપણે શાહુકાર તરીકે માન સન્માનથી જોઈએ છીએ.
પણ તું જો આવા ચોરીના નાટક કરીશ તો તારી મા આવીને તને લાફો ઝીંકી દેશે.
હા ભાઈ, મનેય માની બહુ બીક લાગે છે એટલે તો જલદી જલદી કહી દીધું કે હું ચોરી નથી કરતો. આ તો ખાલી નાટક છે હો ભાઈશાબ… LOL
રામ તમે સીતાજીની તોલે ન આવો – અવિનાશ વ્યાસ
રામ… રામ… રામ
દયાના સાગર થઈ ને
કૃપા રે નિધાન થઈ ને
છોને ભગવાન કહેવડાવો
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો
સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે
ફૂલ ને ચંદનથી છો પૂજાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો
કાચા રે કાનના તમે
ક્યાંના ભગવાન તમે
અગ્નિ પરીક્ષા કોની કીધી
તમારો પડછાયો થઈ ને
વગડો રે વેઠ્યો એને
લોકોની વાતે ત્યાગી દીધી
પતિ થઈ ને પત્નીને પારખતાં ન આવડી
છો ને ઘટઘટના જ્ઞાતા થઈ ફૂલાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો
તમથીયે પહેલા અશોક વનમાં
સીતાજીએ રાવણને હરાવ્યો
દૈત્યોના વચ્ચમાં નિરાધાર નારી તોયે
દશ માથાવાળો ત્યાં ના ફાવ્યો
મરેલાને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ
અમથો વિજયનો લૂટ્યો લ્હાવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો
માવજીભાઈની પરબેથી વધુ એક ઊઠાંતરી
રામ તમે સીતાજીની તોલે ન આવો
ચોરી કરવા માટેય મોકો કે તક જોવી જોઈએ, ખરુને?
મહાત્મા ગાંધી સાથે વર્ધામાં – યોગી કથામૃત (૪૪)
જળ પ્રપાત હે વહો નિરંતર
જળ પ્રપાત હે વહો નિરંતર(૨)
અનંત યુગોથી અનંત રાગથી
ગીત ઊઠે તુજ મહા નિરંતર
જળ પ્રપાત હે વહો નિરંતર(૨)
મહાર્ણ્વોનું મૌન ઓગળે, વાદળ વરાળ આગ ઓગળે
સતત સતત આ ધૈર્ય ભાવનું કેવું વિસ્મિત જંતર ?
જળ પ્રપાત હે વહો નિરંતર(૨)
અનરાધાર તું, ધોધમાર તું, સરળ સહજ પણ ધરાધાર તું (૨)
તવ ચરણોમાં શોભે કેવું મેઘધનુ નું તંતર !
જળ પ્રપાત હે વહો નિરંતર(૨)
કવિ.. કવિ.. કવિ..
બારીમાંથી બુમો પાડી પાડીને બારીથી માંડ પાંચેક ફુટ દૂર ઉભેલી કવીને હું મોટે મોટેથી બોલાવતો હતો. શક્ય એટલા મોટા અનેક વખત ઘાંટા પાડ્યા પછી એક વખત તેનું બારીમાં ધ્યાન ગયું. તેને મારો અવાજ તો સંભળાયો જ નહીં પણ મને જોઈને તેને લાગ્યું કે હું તેને બોલાવી રહ્યો છું.
વાત એમ હતી કે બહાર કોઈના લગ્ન પ્રસંગે જાનૈયાઓ DJ વાગતું હતુ તેના ઘોંઘાટમાં નાચી રહ્યાં હતા. જાન તો છે…ક રસ્તા પર લગભગ ૫૦ મીટર જેટલી દૂર હતી. ઘોંઘાટ એટલો અતીશય તીવ્ર અને મોટો હતો વળી કવિનું ધ્યાન બારી તરફ નહીં પણ રસ્તા તરફ નાચતા જાનૈયાઓને જોવામાં હતું. તેથી મારા દ્વારા સતત અનેક વખત પડાયેલી બુમો તેને સંભળાતી નહોતી.
આપણું યે એવું જ છે ને? આત્માનું સંગીત નીરંતર એકધારુ સતત અવીરતપણે આપણી સાવ પાસે ગુંજી રહ્યું છે. અને માયાના ઢોલ નગારા અને ઘોંઘાટમાં કદીએ તેના તરફ આપણું ધ્યાન જતુ નથી.
જળ પ્રપાત હે વહો નિરંતર – ભાગ્યેશ ઝા










વાચકો લખે છે.